SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ નીતિસૂરીશ્વરજી મ.સા. વિશે ચર્ચા નીકળી. તેમનાં કાર્યો વિશે અને પં.પ્રભુદાસભાઈ સાથેના સંબંધોની ચર્ચા ચાલી. ત્યારે કર્મવિચાર પુસ્તકની પણ ચર્ચા થઈ. આ ગ્રંથ વર્તમાનમાં સરળતાથી ઉપલબ્ધ ન હોવાથી અમે તેનું પુનર્મુદ્રણ કરી રહ્યા છીએ એ વાત કરી. આ સાંભળી પૂ.આચાર્યશ્રી વિજય રૈવતસૂરિજી ખૂબ જ પ્રસન્ન થયા અને જણાવ્યું કે આ ગ્રંથનો વધુમાં વધુ પ્રચાર-પ્રસાર થાય તેવા પ્રયત્નો કરવા જોઈએ અને આ ગ્રંથના પ્રકાશન માટે યોગ્ય વ્યવસ્થા કરાવવાનો પ્રસ્તાવ મુક્યો. પૂજયશ્રીએ કાલન્દ્રી(રાજસ્થાન)ના જૈન સંઘને પ્રેરણા કરી અને શ્રીસંઘે જ્ઞાનખાતાની ૨કમ પણ ફાળવી જેથી અમારું કાર્ય ખૂબ જ સરળ થઈ ગયું. આ માટે અમે પૂ.આચાર્યશ્રી વિજય રૈવતસૂરિજી મ.સા.ના અત્યંત ઋણી છીએ અને કાલન્દ્રી જૈન સંઘની ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ. અમને આશા છે કે ‘કર્મવિચાર' ગ્રંથ જિજ્ઞાસુઓને ઉપયોગી થશે. આ ગ્રંથના પ્રકાશનમાં સહયોગ કરનાર તમામનો આભાર માનીએ છીએ. તા.૧.૮.૨૦૧૬ અમદાવાદ જિતેન્દ્ર શાહ
SR No.006185
Book TitleKarm Vichar
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherShrutratnakar
Publication Year2016
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy