SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૦ કર્મ-વિચાર ભાગ-૩ ૪. હવે શ્વાસોચ્છ્વાસ-પ્રાણાપાન નામની જીવનક્રિયા ચાલે છે. તે તો તમે સમજી શકતા જ હશો. આપણે શ્વાસ લઈએ છીએ અને ઉચ્છ્વાસ કાઢીએ છીએ, તે ચોથી જીવનક્રિયા છે. આ સિવાય બીજી કોઈ જીવનક્રિયાઓ ચાલે છે ? ચાલતી તો હશે. પરંતુ અમે સમજી શકતા નથી. આપ કહો તો કદાચ ખ્યાલ આવે. અહો ! એમાં શું છે ? આપણે બોલવાનું અને વિચારવાનું કામ કરીએ છીએ કે ? હા. હા. એ તો ધ્યાનમાં જ ન રહ્યું. ૫. બોલવાની જીવનક્રિયા અને ૬. વિચારવાની જીવનક્રિયા. એ બે જીવન-ક્રિયા. બોલો હવે કોઈ પણ જાતની જીવનક્રિયા તમારા શરીરમાં થાય છે ? હા. લોહી ફરે છે, આંખો ફરે છે, ગરમી જણાય છે. એ બધી જીવનક્રિયાઓ શરીરની જીવનક્રિયામાં અંતર્ગત થઈ જાય છે. ગરમી રહે છે તે તૈજસ્ શરીરની છે, તે પણ શરીરમાં જ અંતર્ભૂત થાય છે. બસ. છ ઉપરાંત મુખ્ય જીવનક્રિયાઓ વધારે નથી. હોય તો કહેજો. ગમે ત્યારે કહેજો. તેનો વિચાર કરીશું. અમારા ધ્યાનમાં તો આવતી નથી. પરંતુ બધાં પ્રાણીઓને છ જીવનક્રિયાઓ હોય જ, એમ જો આપનું કહેવું હોય, તો આ માખી શો વિચાર કરતી હશે ? અમારું ક્યાં એમ કહેવું છે કે દરેકને છ એ છ જીવનક્રિયાઓ હોય. કેટલાંક પ્રાણીઓને છયે હોય છે. કોઈને પહેલી પાંચ કે ચાર હોય છે. તેથી ઓછી ન હોય. જેને જેટલી કહી તે પ્રમાણે પૂરેપૂરી જીવનક્રિયા ચલાવે તે બધાં પર્યાપ્ત પ્રાણીઓ કહેવાય. પરંતુ તેથી ઓછી હોય, તો તે અપર્યાપ્ત પ્રાણી કહેવાય. કારણ કે
SR No.006185
Book TitleKarm Vichar
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherShrutratnakar
Publication Year2016
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy