SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ આયુષ્યકર્મ, ગોત્રકર્મ અને અન્તરાયકર્મ ૨૦૧ પડે છે. બીજે ન જવું હોય તો પણ જવું પડે છે અને જવાની ઇચ્છા હોય તોપણ જઈ શકાતું નથી. એ શી રીતે ? ઘણા સુખી માણસોને મરવાની બિલકુલ ઇચ્છા નથી હોતી, છતાં તેને મરવું પડે છે. અર્થાત્ અહીંથી સુખ મૂકીને જવું ગમતું નથી, છતાં બિચારાને જવું પડે છે. તેવી જ રીતે કોઈ દુ:ખી માણસ જે ઘણો જ રિબાતો હોય, તેને આ જીવનમાં કશો રસ ન રહ્યો હોય છતાં જ્યાં સુધી મુદ્દત પૂરી ન થાય ત્યાં સુધી તે અહીંથી જઈ શકતો નથી, છૂટી શકતો નથી. બિચારાને એમને એમ રિબાવું પડે છે. એનું કારણ શું ? તેનું કારણ તો કર્મ જ. બીજું શું ? કયું કર્મ ? આ કર્મનું નામ આયુષકર્મ કહેવાય છે. દરેક પ્રાણીને આયુષકર્મ તો હોય જ છે. જો આયુષકર્મ ન જ હોય તો એક ક્ષણપણ તે અહીં ટકી ન શકે. અથવા અનાદિ અનંતકાળ સુધી તેને તે જ અવસ્થામાં રહેવું પડે. પશુ, પક્ષી, માણસો, જંતુઓ, કીડાઓ વગેરેને થોડુંઘણું કંઈ ને કંઈ આયુષ્ય કર્મ છે અને તેને લીધે જ કોઈ એક વર્ષ, બે વર્ષ, છ માસ, સો વર્ષ એમ રહી શકે છે. ચોમાસામાં કેટલાં બધાં જંતુઓ જણાય છે. પરંતુ ચોમાસું પૂરું થયે દેખાય છે ? ના. કારણ કે, તેઓનું આયુષ્ય પૂરું થઈ જાય છે એવી જ રીતે કેટલાંક જંતુઓ તો બેચાર દિવસમાં જ જન્મીને મરી જાય છે. તેઓનું આયુષ્યકર્મ તેવું હોય છે. કેટલાંક પ્રાણીઓ તો સો વર્ષ ઉ૫૨ પણ જીવે છે. તેથી તેઓનું આયુષ્યકર્મ તેવું હશે.
SR No.006185
Book TitleKarm Vichar
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherShrutratnakar
Publication Year2016
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy