________________
કર્મોનાં નામ, પરિણામ, ફળ, અસર ૧૯૭
૩૨. અનંતાનુબંધી લોભ- આત્માની શક્તિને અત્યંત નુકસાન
કરનાર બાબતો ઉપર અત્યંત ગાઢ
મમત્વ ૩૩. અનંતાનુબંધી માયા- તે ખાતર ગાઢ કપટ ૩૪. અનંતાનુબંધી માન- તે ખાતર પૂરેપૂરું અભિમાન ૩૫. અનંતાનુબંધી ક્રોધ- તેમાં આડે આવનાર ઉપર અત્યંત દ્વેષ,
ખાર, ક્રોધની વૃત્તિ આ ચાર કર્મોથી ખરુંખોટું જાણવાની શક્તિ ન હોવાને લીધે તેનું વર્તન પણ તેવું જ કનિષ્ઠ પ્રકારનું હોય છે.
આ ઉપરથી એમ સમજાય છે કે, જ્ઞાનવિષયક યથાર્થ નિર્ણયને રોકનાર દર્શનમોહનીય કર્મ છે. અને વર્તનવિષયક અલ્પ યથાર્થતાને પણ રોકનાર આ અનંતાનુબંધી ચારિત્રમોહનીય છે.
આનું નામ અનંતાનુબંધી હોવાનું કારણ એ જ છે કે, આ કર્મની પરંપરા બહુ જ લાંબો કાળ એટલે અનંત કાળ સુધી લંબાય છે. તેને કેમેય કરી છેડો આવતો નથી. તથા બીજી અનંત અનિષ્ટ પરિસ્થિતિઓને તે ખેંચી લાવે છે.
આ સોળય કર્મોનું નામ કષાય ચારિત્રમોહનીય છે. કારણ કે કષ એટલે આત્મા સિવાયની બીજી વસ્તુઓ. તેઓમાં આત્માની ચારિત્રશક્તિ ગૂંચવાઈ જાય છે. માટે આ ક્રોધ, માન, માયા અને લોભ એ કષાય કહેવાય છે. કષાય વખતે આત્મા પોતાની સ્થિતિ ભૂલી જાય છે અને બીજાની પોતાની માની લે છે, માટે તેનું નામ કષાય પાડવામાં આવ્યું છે.
- સંજવલન વગેરે ચાર ભેદો અવસ્થા ભેદ પાડવામાં આવેલા ભેદો છે. ક્રોધ વગેરે ચાર કષાયો જયારે ઘણા જોરમાં હોય ત્યારે તે અનંતાનુબંધી કહેવાય, અને ઓછા, તેથી ઓછા અને તદ્દન અલ્પ હોય ત્યારે અત્યંત પ્રત્યાખ્યાનાવરણીય, પ્રત્યાખ્યાનાવરણીય અને સંજવલન કહેવાય છે. આમ અવસ્થાભેદ પાડેલા ભેદો છે.
ઓછા ઓછા અથવા વધારે વધારે એ રીતે તેનો ક્રમ ગોઠવતાં