________________
૧૯૬ કર્મ-વિચાર ભાગ-૩
૨૪. પ્રત્યાખ્યાનાવરણીય લોભ- ખાનપાન એશઆરામ વગેરે તરફ મમત્વ ૨૫. પ્રત્યાખ્યાનાવરણીય માયા- તે ખાતર કપટ કરવાનું મન ૨૬. પ્રત્યાખ્યાનાવરણીય માન- તે ખાતર સત્કાર મેળવવાની ઇચ્છા ૨૭. પ્રત્યાખ્યાનાવરણીય ક્રોધ- ખાન-પાન વગેરેને નુકસાન કરનાર કે તેમાં
આડે આવનાર તરફ અણગમો, ક્રોધ વૃત્તિ. પ્રત્યાખ્યાનાવરણીય ચારિત્રમોહનીય કર્મને લીધે અત્યંત ત્યાગવૃત્તિ ન જાગે પરંતુ લાલચવૃત્તિ રહે જ.
છતાં અલ્પ ઉપયોગી વસ્તુઓની ત્યાગવૃત્તિ તો આ કર્મ હોય તોપણ હોય છે. પરંતુ એટલી પણ ત્યાગવૃત્તિને જે કર્મ રોકે–બિલકુલ ત્યાગવૃત્તિ જ ન થવા દે, જે વસ્તુઓ પોતાને ઉપયોગી નથી, ઉપયોગમાં આવતી નથી, તેની પણ ત્યાગવૃત્તિ ન થવા દે, તે અત્યંત પ્રત્યાખ્યાનાવરણીય ચારિત્ર મોહનીય કર્મ કહેવાય. અથવા અપ્રત્યાખ્યાનીય ચારિત્રમોહનીય કહેવાય. એટલે જરા પણ ત્યાગ ન ઉત્પન્ન થવા દે, એવું ચારિત્રમોહનીય કર્મ અર્થાત્ ઉપયોગી કે નિરુપયોગી કોઈપણ બીજા પદાર્થો ઉપર મમત્વમય વૃત્તિ જ રખાવે. ૨૮. અપ્રત્યાખ્યાનીય લોભ- પોતાના સિવાયના જીવનમાં ઉપયોગી
અને નિરુપયોગી તમામ પદાર્થો તરફ
મમત્વ ૨૯. અપ્રત્યાખ્યાની માયા- તે ખાતર કપટ ૩૦. અપ્રત્યાખ્યાનીય માન- તે ખાતર માનસત્કારની વૃત્તિ. આ
વૃત્તિનું નામ અક્કડપણું કહેવાય છે. ૩૧. અપ્રત્યાખ્યાનીય ક્રોધ- તેમાં આડે આવનાર તરફ પૂરતો
અણગમો. જો કે તેની વૃત્તિ આવી રહે છે, પણ ખરુંખોટું પારખવાની તેની શક્તિ કાયમ રહે છે. ખરુંખોટું નિશ્ચય કરવાની શક્તિ છતાં તે આત્મા તે પ્રમાણે વર્તી શકતો નથી. જો કે તેનું વર્તન જરા પણ ત્યાગી નથી હોતું. છતાં સભ્ય અને ઊંચી લાયકાતવાળું તો ચોક્કસ હોય છે.