SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ મનુષ્યની જીવનસામગ્રી ૧૫૫ મારા આત્માનો સંબંધ કેમ થયો ? ક્યારે થયો ? કેટલા વખત માટે થયો ? ક્યાં સુધી તે સંબંધ રહેશે ? વગેરે. મારી ઉંમર સોળ વર્ષની કહેવાય છે. તેનો અર્થ શો ? તમે જ કહોને ! તેનો અર્થ એટલો જ કે, મારું આ શરીર ઉત્પન્ન થયાને ૧૬ વર્ષ થયાં. એમ નહીં. ત્યારે. તમારા જન્મદિવસથી તમને ૧૬ વર્ષ થયાં, એમ સમજવું. હા, જી ! બરાબર. એટલે શરીર તો તે પહેલાં જ ઉત્પન્ન થયેલું. સામાન્ય રીતે તમારા શરીરને ઉત્પન્ન થયાને ૧૬ વર્ષને ૯ માસ થયા ગણાય. જ્યારે મારું આ શરીર ઉત્પન્ન નહીં થયું હોય તે પહેલાં શી સ્થિતિ હશે? તે વખતે આ શરીર વગરનો એકલો તમારો આત્મા હશે. ખરું, પરંતુ તે આત્માએ આ શરીર કેમ ઉત્પન્ન કર્યું હશે ? મારો પણ એ જ તમને પ્રશ્ન છે. વળી તમારા આત્માએ ગાય, ઘોડા, સિંહ, હાથી જેવું શરીર ન બનાવ્યું અને આવું માણસ જેવું બનાવ્યું, તેનું પણ શું કારણ હશે ? એ તો આપે પ્રથમથી જ કહ્યું છે ને કે, દરેકનું કારણ કર્મ છે. એ તો બરાબર, પણ ગાયનું શરીર ઉત્પન્ન થવામાં પણ કર્મ કારણ ખરું ને ? હા. તો પછી તમારું શરીર ઉત્પન્ન થવામાં જેમ કર્મ કારણ છે, તેમ જ ગાયનું શરીર ઉત્પન્ન થવામાં પણ કર્મ કારણ છે. તે જ રીતે માખી, ભમરા, સાપ વગેરેનું શરીર ઉત્પન્ન થવામાં પણ કર્મ કારણ છે; પરંતુ જો બધે એક
SR No.006185
Book TitleKarm Vichar
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherShrutratnakar
Publication Year2016
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy