SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ પાઠ ૧૨મો નિષેક અને ઉદયાવલિકા અબાધાકાળ પૂરો થતાંની સાથે જ પોતાનું બળ-ફળ-બતાવવા અધીરું થઈ રહેલું કર્મ, એકદમ કરણોના ઝપાટામાંથી છૂટીને, ફળ બતાવવાના માર્ગ તરફ દોડે છે. એ માર્ગ પણ એક આવલિકાના વખત જેટલો ગોઠવાય છે, તેથી તેને ઉદયાવલિકા કહે છે. ઉદયમાં આવવાના કાર્યક્રમનો એક આવલિકા જેટલો નિયત વખત, તે ઉદયાવલિકા. દાખલા તરીકે હાસ્યકર્મના અબાધાકાળનો મહિનો પૂરો થતાંની સાથે જ કરણોના પ્રપંચમાંથી છૂટેલું તે કર્મ, બીજો મહિનો બેસતાંની સાથે જ હસાવવાનું ફળ બતાવવા લાગે છે, એટલે કે તે માણસને હસવું આવવા લાગે છે. અબાધાકાળ પૂરો થતાંની સાથે જ એક આવલિકા સુધી જેટલા કર્મપ્રદેશો આવે, તેટલાને ફળ બતાવવા દે, તેટલા વખતને ઉદયાવલિકા કહે છે. પરંતુ ફળ તો અગિયાર મહિના ભોગવવાનું છે. એટલે એક આવલિકા પૂરી થતાં બીજી શરૂ થાય, એમ ને એમ અગિયાર મહિના સુધી ચાલ્યા કરે. ને કેટલીયે ઉદયાવલિકાઓ પસાર થાય. - ઉદયાવલિકા એ કર્મોનો બહાર પડવાનો–ઉદયમાં આવવાનો માર્ગ છે. જેમ જેમ કર્મ ઉદયાવલિકામાં આવતાં જાય, અને ફળ બતાવતાં જાય, તેમ તેમ તે આત્મપ્રદેશોથી જુદા પડતાં જાય છે–ખરી પડતાં જાય છે. ત્યારપછીનું તેનું નામ કર્મ ન કહેવાય. તે કાર્મણવર્ગણા બની રહે છે. કાળુજી ઠાકોરને કારખાનામાં મજૂરી કરવા રાખ્યા, ત્યાં સુધી તે મજૂર ગણાયા. એ કામની નોકરીમાંથી છૂટ્યા એટલે પાછા કાળુજી ઠાકોર
SR No.006185
Book TitleKarm Vichar
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherShrutratnakar
Publication Year2016
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy