SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ પાઠ પમો પરમાણુઓમાં રહેલા મુખ્ય ગુણો આ ઈટ પરમાણુઓની બનેલી છે, એ વાત તો તમારા ધ્યાનમાં બરાબર છે, ખરું કે ? હા, જી ! પરંતુ, એ ઈંટનો રંગ કેવો છે? . લાલ. એ રંગ ક્યાંથી આવ્યો ? એ રંગ પણ પરમાણુઓમાં જ હોવો જોઈએ. ત્યારે ઈંટમાંથી કોઈ જાતની ગંધ આવે છે. હા, જી ! ગંધ પણ આવે છે, અને તે લગભગ પાકા ઘડાના ગંધ જેવો આવે છે. તો, તે ગંધ ક્યાંથી આવ્યો ? તે પણ પરમાણુઓમાં જ હોવો જોઈએ. ઈંટનો કટકો જરા ચાખો તો, કેવો સ્વાદ લાગે છે? કાંઈક સ્વાદ તો આવે છે, પણ “કેવો સ્વાદ છે ?” તે સ્પષ્ટ રીતે કહી શકાતું નથી. ' લ્યો. ત્યારે, આ ખાણમાંથી નીકળેલા પથરાના કકડા જેવા સફેદ કકડાનો સ્વાદ કેવો લાગે છે ? તેનો સ્વાદ ખારો લાગે છે.
SR No.006185
Book TitleKarm Vichar
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherShrutratnakar
Publication Year2016
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy