SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ મેવાડના પુનરુદ્ધાર સામે તે ટકી શકયેા નિહ. એટલું જ નહિં, પશુ તેના ઘણુાખરા સૈનિ સાથે તેના નાશ થયેા. કામલમેરને કબજો આ રીતે હસ્તગત થતાં મહારાણાના ઉત્સાહ દ્વિતિ વધી ગયા અને તેથી તેમણે અનુક્રમે ખીજા અનેક કિલ્લાએ, દુર્ગા, ગ્રામા, શહેરા અને નગરી ક્બજે કરવા માંડયાં. દેલવાડાના યુદ્ધમાં શાહખાજમાંના પરાજય થવાથી બાદશાહ અકખર તેના ઉપર ઘણા જ નારાજ થયા અને તેથી તેણે તેને પાથરીમાં નીચે ઉતારી નાંખ્યા હતા. આ સમય દરમ્યાન શડેનશાહ અકબરને જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિના ઉપદેશની ધણી સારી અસર થઈ હતી. તેમજ તેનું ઘણું ખરુ· ધ્યાન ઉત્તર,તથા પશ્ચિમમાં ચાલતી રાજકીય ખટપટામાં અને ખુદ આગ્રામાં પશુ પેાતાના વિરુદ્ધ કેટલાક ઉમરાવાની સલાહથી પોતાના બેટા સલીમની મારફત કાવાદાવા ચાલતા હાવાથી તેમાં રાકાયેલું રહેતુ હતુ. અને તેથી તેણે મહારાણા પ્રતાપસિંહની બહુ દરકાર રાખી નહેાતી. તેણે અબ્દુલરહીમખાંને તુરત જ પાળેા ખેલાવી લીધે। અને ખીજી કામગીરી ઉપર તેને રોકયા. આ તકના લાભ લઈને પ્રતાપસિહે મેવાડના ઘણા ખા ભાગ પાતાને કબજે કરી લીધા. શહેનશાહે મહારાણાને પુનઃ પકડવાને જગન્નાથ કચ્છવાહને વિશાળ સૈન્ય સાથે મેલ્યે. તેણે મેવાડમાં આવીને મહારાણાને પકડવાને માટે ઘણી તજવીજ કરી; પરંતુ તેમના કાંઈ પત્તા નહિ લાગવાથી છેવટે તે પશુ કંટાળીને પાછા ચાહ્યા ગયા. તેના આગમન પછી બાદશાહ અકબરે ફરીથી ઊઁાઈ પશુ સિપાહસાલારને મેવાડમાં યુદ્ધ કરવાને માટે મેકિયેા નહિ અને મહારાણા પ્રતાપસિહૈ ચિત્તા, અજમેર અને માંડલગઢ સિવાય મેવાડના તમામ પ્રદેશને જીતી લીધા હતા. ત્યારખાદ મહારાણાએ રાજા માનસિંહ તથા જગન્નાથ કછવાહને નાના ખબળા સ્વાદ ચખાવાની ખાતર તેમની રાજધાનીના નગરા ઉપર ચડાઈ કરી અને તેમની સ`પત્તિ લુંટી લઈને પેાતાની પુતિને ચેતરફ પ્રસારી દીધી. આ રીતે મેવાડનું સ્થિત્યંતર થયું. જે મેવાડને પુનઃ મેળવવાની એક પણ આશા પ્રતાપસિંહને રહી નહેતી, તે મેવશ્વના ધણા ભાગને ઘણી જ સરલતાપૂર્વક કબજે કરવાથી તેને ધણા જ હર્ષ થયો. સંસારની ઘટમાળ આ પ્રમાણે જ ચાલી રહી છે. ઉદય અને અસ્તના ત્રિગ્નાલાધ નિયમનું સત્ય આ ઉપરથી આપણે સમજી શકીએ છીએ. મેવાડના રાજય અને ત્યારબાદ તેના પુનરુદ્ધાર એ જ આ નિયમનું રહસ્ય છે. મ`ત્રીશ્વર ભામાશાહના સ્વા ણુથી મેવાડના પુનરુદ્ધાર થયે,.એ પ્રત્યેક ઈતિહ!ર 'સક'ર 'સ્વીકારે છે અને તેથી તેની કીતિ મેવાડના ઉદ્ધારકર્તા તરીકે વ્યાવશ્વ વિદ્યાદી'' બનવા પામી છે. ૧૬૪
SR No.006160
Book TitleMewadno Punruddhar
Original Sutra AuthorN/A
AuthorJ M Kapasi, Vinod Kapashi
PublisherV K Parakashan
Publication Year1982
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy