SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ મેવાડને પુનરુદ્ધાર “એને અર્થ એ જ છે કે હું આપને ચાહું છું અને આજથી નહિ; પરંતુ જ્યારથી મેં આપની સ્વદેશ અને સ્વમાનનું રક્ષણ કરવાની તીવ્ર ઉત્કંઠાની વાત સાંભળી છે, ત્યારથી જ હું આપને ચાહતી આવી છું.” અલકાએ લજ્જાને સર્વથા ત્યાગ કરીને ઉત્તર આપ્યો. પ્રતાપ તેના સ્પષ્ટ ઉત્તરથી વિશેષ અજાયબ થઈ ગયો. તેણે ગંભીરતાથી કહ્યું “અલકાસુંદરી ! તમે મારી સ્વદેશ અને સ્વમાનના રક્ષણ કરવાની તીવ્ર ઉત્કંઠાની વાત સાંભળી હશે, એ ઠીક છે; પરંતુ તેથી કરીને મને ચાહવામાં–તમારું દિલ મને અર્પણ કરવામાં તમે ઉતાવળ કરી છે.” “એનું કારણ ?” અલકાએ જીજ્ઞાસાથી પૂછયું. એનું કારણ એ છે કે મેવાડને ઉદ્ધાર કરવાને માટે મેં સર્વ ભેગવિલાસને ત્યાગ કર્યો હોવાથી સંસારમાં રહ્યા છતાં પણ હું એક સંન્યાસી છું અને તેથી અલકાસુંદરી ! સંસારના ભેગ વિલાસને તિલાંજલી આપીને વિરકત જીવન ગુજારતા મારા જેવા એક સામાન્ય પુરુષને ચાહવામાં તમે ઉતાવળ કરી છે, એ મારું કથન શું સત્ય નથી ?” પ્રતાપસિંહ કારણ દર્શાવતાં પૂછ્યું. મહારાણું ! મને ક્ષમા કરજે; પરંતુ મારે કહેવું જોઈએ છે કે આપનું કથન સત્ય નથી. મેવાડના ઉદ્ધાર માટે આપે ભેગવિલાસને ત્યાગ કર્યો તે ભલે કર્યો; કારણ કે દેશના કલ્યાણને માટે એના જેવું બીજુ એ કે ઉત્તમ કાર્ય નથી; પરંતુ તેથી કોઈપણ કુમારી બાળાને આપને ચાહવાને અધિકાર શું ચાલે જાય છે કે જેથી આપ તેને ઉતાવળ કહે છે ?” અલકાસુંદરીએ સામો પ્રશ્ન કર્યો. “અલકાસુંદરીના આ પ્રશ્નને શો ઉત્તર આપવો, એની પ્રતાપસિંહને ખબર પડી નહિ અને તેથી તેણે કહ્યું. “અલકાસુંદરી! તમારો એ પ્રશ્ન ઘણે જ કઠિન છે અને તેથી તેને ખરે અને વ્યાજબી ઉત્તર શે આપ, એની મને સમજણ પડતી નથી, પરંતુ તેમ છતાં તમે મને ચાહવામાં ઉતાવળ કરી છે એટલું જ નહિ, પણ મને ચાહવામાં તમે ભૂલો છે, એમ કહ્યા સિવાય મને ચાલતું નથી.” અલકાએ તેને પ્રતિવાદ કરતાં કહ્યું. “મહારાણા! આપ જ્યારે મારા પ્રશ્નને વ્યાજબી ઉત્તર આપી શકતા નથી, ત્યારે આપને ચાહવામાં મેં
SR No.006160
Book TitleMewadno Punruddhar
Original Sutra AuthorN/A
AuthorJ M Kapasi, Vinod Kapashi
PublisherV K Parakashan
Publication Year1982
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy