________________
ગુલમો
રાય બિલ જ પર્યુષણમાં
42 : જૈનદર્શન- શ્રેણી : ૪-૪ પણ પાર્શ્વનાથ ભગવાનના મુગટમાંથી પ્રકાશ રેલાતો હતે.. જંગબારમાં સને ૧૯૬૩માં ૪૫૦ દેરાવાસી, ૪૦૦ સ્થાનકવાસી ભાઈઓ હતા. શિખરબંધી દેરાસર ઉપરાંત જૂનું દેરાસર પણ હતું.
આ સિવાય એક નગરીઆ દેરાસર હતું. આ દેરાસર વિ. સં. ૧૯૫૫ના શ્રાવણ માસમાં ઘર-દેરાસર હતું. મહાવીરસ્વામીની છબી મૂકી હતી. અહીંથી તે પછી નળવાળા ગુલફામાં સંવત ૧૯૮૭માં ખસેડયું હતું. પર્યુષણમાં પ્રતિકમણભાવના થતાં હતાં. આયંબિલ તપ પણ થતાં હતાં અને ત્યાં પણ જૈન પાઠશાળા શરૂ થઈ હતી.
જંગબારમાંથી સ્થળાંતર શરૂ થયું અને ધાર્મિક પ્રવૃત્તિઓને લગભગ અંત આવ્યું. જંગબારના શિખરબંધી દેરાસરની પ્રતિમાઓ નાઈબી લઈ જવામાં આવેલ અને ત્યાં સ્થાપના થયેલ છે.
ઈથિયોપીઆમાં એડીસાબાબા શહેરમાં પ૦-૬૦ વર્ષ પહેલાં ૬૦૦ થી ૭૦૦ જેને હતા. સર્વ પ્રકારે જૈન ધર્મને લગતી પ્રવૃત્તિઓ ઉત્સાહભેર થતી હતી. દેરાસર નહોતું. અત્યારે તે અહીંથી પણ મોટા ભાગના જેને બીજે ચાલ્યા. ગયા છે. 1 જીબુટી : ૫૦ વર્ષ પહેલાં જીબુટી બંદર ખેંચ કેલેની હતું. અહીં વેપાર અર્થે ૩૦૦ જેને વસતા હતા. ઘર-દેરાસર નહોતું પરંતુ સહુ સાથે મળીને પર્યુષણમાં પ્રતિકમણ ઈત્યાદિ કરતા હતા.