________________
પરદેશમાં જૈન ધર્મ : 35 નહીં. વળી હરતપ્રતોને અન્ય લાયબ્રેરીઓમાં ખસેડવામાં આવી છે એટલે નવા-જૂના સંગ્રહમાં ગોટાળે પ્રવર્તે છે. ભારતથી કઈ જર્મની જાય અને છએક મહિના ત્યાં રહે તે જ સાચી પરિસ્થિતિને પાર પામી શકાય. અમુક હસ્તપ્રતે પૂર્વ જર્મનીમાં છે જે અત્યારે સામ્યવાદી શાસન નીચે છે. કોઈ રિસર્ચ માટે જાય છે તેને તે માટે પરવાનગી પણ. જલદી ન મળે તેવી હાલત છે! હમણું હમણાં મેં જોયેલ. કેટેગ પ્રમાણે બલિનમાં પ૬,૦૦૦થી વધારે ઓરીએન્ટલ હસ્તપ્રત છે. પરંતુ ઓરીએન્ટલ એટલે પૂર્વના દેશે. તેમાં ઈરાન, તિબેટ, બર્મા, થાઈલેન્ડ, શ્રીલંકા વગેરે સઘળા આવી જાય. આમાંથી ભારતની હસ્તપ્રત કેટલી અને તેમાંયે જન હસ્તપ્રત કેટલી તેને અંદાજ નીકળી શકે તેમ નથી. પદ,૦૦૦માંથી ચોથા ભાગની ભારતીય ગણે તે ૧૪,૦૦૦ ગણાય અને તેમાંથી ચાર-પાંચ હજાર જૈન હસ્તપ્રતો હશે તેવું માની શકાય. વિવિધ કેટેગ વગરનું આ અનુમાન જ છે. પરંતુ હું એવા નિષ્કર્ષ પર આવ્યો છું કે સામાન્ય રીતે જે માન્યતા પ્રવર્તે છે તેનાથી ઓછી હસ્તપ્રતો જર્મનીમાં હશે. અત્યારે જર્મનીમાં મારા મત મુજબ અને કેટેગની ગણતરી પ્રમાણે ૫૦૦૦ થી ૭૦૦૦ હસ્તપ્રતો હશે.
ભારતમાં ઘણા જૈન વિદ્વાને ૨૦થી ૨૫ હજારને આંકડે માને છે તેમાં ગંભીર અતિશયોક્તિ છે.
કસની પિસિની લાયબ્રેરીમાં અને ઓસ્ટ્રીયામાં વિએનામાં પણ જેન હસ્તપ્રત સચવાઈ છે. આ હસ્તપ્રતોને