________________
૧૨
શ્રીગૌસ્તુભ
[ પ્રથમ
નિવૃતિ થયા વિના શરીરની નિવૃત્તિ થાય નહિ. તે પુણ્યપાપ રાગ
ષની નિતિ થયા વિના નાશ પામે નહિ. વર્તમાન પુણ્યપાપની ભેગથી નિવૃત્તિ થયા છતાં પણ રાગદ્વેષથી બીજા પુણ્યપાપ ઉત્પન્ન થશે, માટે રાગદ્વેષની નિવૃત્તિ થયા વિના પુણ્યપાપ દૂર થાય નહિ. તે રાગદ્વેષ અનુકૂલતાન અને પ્રતિકૂલજ્ઞાનથી ઉત્પન્ન થાય છે. જેમાં અનુકૂલપણાનું જ્ઞાન થાય તેમાં રાગ થાય છે, કે જેમાં પ્રતિકૂલપણનું જ્ઞાન થાય તેમાં ઠેષ થાય છે, માટે અનુલપણાનું જ્ઞાન ને પ્રતિકૂલપણાનું જ્ઞાન નિવૃત્ત થયા વિના રાગદ્વેષની નિવૃત્તિ થાય નહિ. તે અનુકૂલપણુનું જ્ઞાન અને પ્રતિકૂલપણાનું જ્ઞાન ભેદજ્ઞાનથી થાય છે, કેમકે જે વસ્તુને પિતાના સ્વરૂપથી ભિન્ન જાણે તે વસ્તુમાં અનુકુલપણાનું જ્ઞાન વા પ્રતિકૂલપણાનું જ્ઞાન થાય છે. પિતાનું સ્વરૂપ સુખરૂપ છે ખરું, પણ તે સુખનું અથવા દુ:ખનું સાધન નથી, માટે તેમાં અનુકૂલપણાનું જ્ઞાન કે પ્રતિકૂલપણાનું જ્ઞાન થાય નહિ. આવી રીતે પદાર્થો વિષે પિતાનાથી જે ભેદજ્ઞાન તે અનુકૂલપણાના જ્ઞાનનું તથા પ્રતિકૂલપણાના જ્ઞાનનું કારણ છે. તે ભેદજ્ઞાનની નિવૃત્તિવિના અનુકૂલજ્ઞાનની તથા પ્રતિકૂલજ્ઞાનની નિવૃત્તિ થાય નહિ. તે ભેદજ્ઞાન સ્વસ્વરૂપના અજ્ઞાનથી ઉપજે છે. આવી રીતે સંપૂર્ણ દુઃખનો હેતુ સ્વસ્વરૂપનું અજ્ઞાન છે. તે સ્વસ્વરૂપનું અજ્ઞાન સ્વસ્વરૂપના જ્ઞાનવિના દૂર થાય નહિ, કેમકે જે વસ્તુનું અજ્ઞાન હોય તે તેના જ્ઞાનથી દૂર થાય છે, જેમ દેરડીનું અજ્ઞાન દેરડીના જ્ઞા થી દૂર થાય છે, બીજાથી દૂર થતું નથી, માટે સ્વસ્વરૂપનું જ્ઞાન જ સ્વરૂપના અજ્ઞાનની નિવૃત્તિદ્વારા સમગ્રદુ:ખની આત્યંતિકનિવૃત્તિને હેતુ છે. સ્વરૂપનું જ્ઞાન વેદાંતના શ્રવણમનનદ્વારા સિદ્ધ કરેલા પરોક્ષaહ્મતત્વમાં નિદિધ્યાસ કરવાથી થાય છે. વળી પરમાનંદની નિત્યપ્રાપ્તિ પણ સ્વસ્વરૂપના સાક્ષાત્કારથી જ થાય છે. શબ્દસ્પર્શાદિ વિષયમાં સાચે આનંદ નથી, માત્ર ઈચ્છિત શબ્દસ્પર્શાદિ વિષયની પ્રાપ્તિ થવાથી બુદ્ધિની ચંચલતા તેટલે સમય દૂર થઈ તે સ્થિર થાય છે, ને તેમાં આત્માના આનંદ