SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪. શ્રીગકૌસ્તુભ [અગીઆરમી શરીરનું મર્દન કરવાથી શરીરની જડતા નાશ પામે છે, માટે અભ્યાસીએ તેમ કરવું સ્નાન કર્યા પહેલાં પણ આ અભ્યાસ કરી શકાય. પણ જે મલયાગ કરવાની ઈચ્છા હોય તે મળત્યાગ કરી આવ્યા પછી હાથપગ જોઈ, વસ્ત્ર બદલી, માર્જન કરી, આચમન લઈ, અભ્યાસમાં જોડાવું. તાત્પર્ય કે મલમૂત્રના વેગને રેકી અભ્યાસમાં પ્રવૃત ન થવું. પૂરતા સમયના અભાવે જે અભ્યાસના વિ નાગ પાડવા પડે તે પરિધાનવડે પરિચાલન ને તાડન એ બે કર્મ સાથે રાખવાં, ને ભસ્ત્રિકા પ્રાણાયામ તથા જપ એ સાથે કર માં પણ ચારે અભ્યાસ જુદા ન પાડવા, કેમકે તેમ કરવાથી તે અભ્યાસ યથાગ્ય ઉપકાર કરી શકતા નથી. અભ્યાસના શ્રમથી જે શરીરમાં કળતર થાય તે મિતાહાર રાખવાથી વા કરીઆતાને ને મરીને ઉકાળો પીવાથી તે દૂર થશે. પરિધાનપૂર્વક પરિચાલન, ભસ્ત્રિકા ને જપને અભ્યાસકાલે પણ, સિદ્ધ કે ગુપ્ત એ ત્રણમાંનું ગમે તે એક આસન રાખવું. . જપ વેલા હાથ જેમ ઠીક પડે તેમ રાખવા, પણ શરીર સીધું રહે એવી સાવધાનતા રાખવી. ગોઠણ પર હાથનું લગાર દબાણ રાખવાથી અથવા હાથની આંગળાં ગોઠણનીચે ભરાવવાથી સીધું બેસી શકાશે. - ભસ્ત્રિકાકુંભક સરલતાથી કરવા, મુખાકૃતિમાં વિકતિ ન થવા દેવી. અગ્ય બલ વાપરવાથી મુખની વિકૃતિ થાય છે માટે અભ્યાસમાં અગ્ય બલ ન વાપરવું. જપવેલા કેઈ વખતે અભ્યાસીના હાથ જે ૯ ચા થાય તે તે . સૂક્ષ્મ લયનું ચિહ્ન છે એમ જાણવું, અને અભ્યારીને જે વારંવાર કંપ જણાય તે એ તેને રેચકને દોષ છે એમ જાણવું. પરિધાનપછી તાડન ને તાડન પછી ભસ્ત્રિકા કરતાં વચ્ચે પાંચ પાંચ મિનિટ વિશ્રાંતિ લેવાની અગત્ય જણાય છે તેમ કરવામાં કાંઈ અડચણ નથી.
SR No.006145
Book TitleYog Kaustubh
Original Sutra AuthorN/A
AuthorNathuram Sharma
PublisherAnandashram
Publication Year1949
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy