________________
૨૩૦
શ્રી કૌસ્તુભ
[ અગીઆરમી ખેચરીની ત્રણ ક્રિયા અનુક્રમે કરવી પડે છે, છેદન, ચાલન, અને દેહન. અતિ તીણુ સ્નિગ્ધ અને નિર્મલ એવું લેહનું શસ્ત્ર લઈને પછી તે શસ્ત્રવડે સાવધાનતાથી યુક્તિપૂર્વક જીભના નીચલ્યા મૂલઆગળની (ત્રણ શિરામાંની વચલી) શિરાનું રેમમાત્ર (પાતળા વાળજેટલું) છેદન કરવું. છેદન કર્યો પછી લવણ (મીઠું) અથવા સૈધવ તથા હરડેનું ઝીણું ચૂર્ણ કરીને સાત દિવસ સુધી સાંજે તથા પ્રાત:કાળે છેદન કરેલા ભાગ પર લગાડી જીભને ઊર્વ રાખી જમણું હાથના અંગૂઠાથી, અંગૂઠો નીચેથી ઉપર જાય એવી રીતે, તે ભાગ પર સારી રીતે ઘર્ષણ કરવું. પશ્ચાત ચાલન અને દેહન કરવાં. હઠયોગના અભ્યાસીને અભ્યાસકાલે મીઠું ખાવાને નિષેધ છે માટે તેણે કાથાનું તથા હરડેનું ચૂર્ણ મેલી ઘર્ષણ કરવું. હઠાભ્યાસી ન હોય અને જે એકલી ખેચરી મુદ્રા સાધતે હેય તેને લવણનો નિષેધ નથી. પછી આઠમે દિવસે વળી રેમમાત્ર અધિક છેદન કરવું. વળી પૂર્વોક્તરીતે સાત દિનપર્યત ફરીથી લવણ તથા હરડેનું ચૂર્ણ ઘસવું. એમ છ મહિનાસુધી સૂકી ભૂમિવાળી ગુફામાં કિવા અતિપવન ન લાગે એવા
સ્થાનમાં નિવાસ કરી યુક્તિપૂર્વક અભ્યાસ કરે તે જીભની નીચેની શિરાને બંધ જે જીભને કપાલની અંતરના છિદ્રમાં જતી અટકાવે છે તેને નાશ થાય છે. સાધકે અભ્યાસકોલમાં માત્ર શાકરસહિત દૂધખાનું જ ભોજન કરવું એ વિશેષ ઉત્તમ છે. એમ નજ બની શકે તે ખાટા, અતિતીખા, અતિખારા, તથા કઠણ પદાર્થોને ત્યાગ કરી પ્રવાહી ને કેમલ પદાર્થ ખાવા.
બંને હાથના અંગૂઠા તથા બંને તર્જની આંગળીથી જીભને પકડીને ડાબીજમણ હલાવવી તે ચાલન, અને બંને હાથના અંગૂઠા તથા બંને તર્જની આંગળીથી ગાયના આંચળને દેવે છે એવી રીતે જીભને ખેંચીને જ્યાં સુધી તે બહાર નીકળીને ભ્રકુટીના મધ્યમાં
૧ ઉંચી જાતનું નસ્તર આ કામમાં વિશેષ ઉપયોગી થશે.