________________
રર૬ :
શ્રી ગૌસ્તુભ
[અગીઆરમી
વા ડાબો પગ તેની પાની ભૂમિને અડી રહે એવી રીતે સીધે લાંબા કર, અને તેની આંગળીઓ ઉંચી રાખી પછી તે પગના અંગૂઠાને જમણા વા ડાબા હાથના અંગૂઠા ને તર્જની આંગળીથી પકડી રાખે. પછી ચંદ્રથી વા સૂર્યથી પૂરક કરી પશ્ચાત્ કંઠમાં જાલંધરબંધ કરીને ડાબા વા જમણા હાથના અંગૂઠા ને તર્જની આંગળીથી લાંબા કરેલા પગના અંગૂઠાને પકડી વાયુને ઉપર સુષુણામાં ધારણ કરો. આમ કરવાથી મૂલબંધ પણ થાય છે. નિથાનને (સીવનીને) દબાવવાથી અને જિફાબંધ કરવાથી કુંડલિની શક્તિ સર્પાકાર ત્યજી પાંશરી થઈ જાય છે અને સુષુમ્ભામાં પ્રાણને પ્રવેશ થાય છે, તેથી કુંડલિની શક્તિના બહિ:સ્પંદની મરણાવસ્થા થાય છે. કુંડલિની પિતાને વક્રાકાર ત્યજીને સુષુણાના મુખને ત્યાગ કરી વિષયવાસનારૂપી વિષમય કુકાર કે જે કર્મને અનુસરીને ઈડપિગલામાં વહન થતા પ્રાણુર્પ દ્વારા ઉપજાવતી હતી તેનાથી રહિત થઈ જાગ્રત થાય છે તે તેના બહિ:સ્પંદની મરણવસ્થા કહેવાય છે. પછી તે ધેલા પવનને ધીમે ધીમે રેચક કરી બહાર કાઢો. ઊતાવળે રેચક કરવાથી બલની હાનિ થાય છે. આ મહામુદ્રાના ઉપર કહેલા ચંદ્રા તથા સૂયાંગનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે – - પ્રથમ ચંદ્રાંગ જે ડાબું નાસાપુટ તેમાં અભ્યાસ કરીને પછી સૂયાંગ જે જમણું નાસાપુટ તેમાં અભ્યાસ કરે, ને તે બંને ભાગમાં સરખા કુંભક થાય ત્યારે મહામુદ્રાને અભ્યાસ તે સમયમાટે મૂકી દે, અર્થાત સુરતમાં તેને વિશેષ અભ્યાસ ન કરે. આરંભમાં દશ દશ કુંભક કરી પછી નિયતિ તેમાં યથાશક્તિ વધારે કરી અંતમાં સે સે કુભક કરવા.
| ડાબા પગની પાનીને નિસ્થાનમાં લગાડી જમણો પગ સીધે સાબે કરી તેના અંગૂઠાને જમણા હાથની તર્જની આંગળી તથા અંગૂઠાથી પકડી દૃષ્ટિ ભ્રકુટીમાં રાખી ડાબા નાસાપુતારા પૂરક કરી પછી લંધરબંધ કરે, ને ડાબા હાથના અંગૂઠા તથા તેનીવડે