SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભા ] પ્રાણાયામનિરૂપણ ૨૨૧ ને અનામિકાને મખણ લગાડી તેવડે ગળાની પાસે રહેલા જિના. મૂલ પર સારી રીતે ઘર્ષણ કરવું. પછી બંને હાથની તર્જની તથા અંગૂઠાથી જિનું દહન કરવું, ને તેના અગ્રભાગનું શનૈઃ શનૈઃ બહાર આકર્ષણ કરવું. આ ક્રિયાને જિલ્લામૂલધતિ કહે છે. આ અભ્યાસ સૂર્યોદયકાલે તથા સૂર્યાસ્તકાલે યત્નપૂર્વક કરવાથી જિ લાંબી થાય છે, તથા કફદોષ દૂર થાય છે. જમણા હાથની તર્જની વા અનામિકાવડે બંને કર્ણને ક્રમથી સારી રીતે ઘસવાથી બંને પ્રકારની કર્ણપ્રધૌતિ થાય છે. આ ક્રિયા સતત કરવાથી નાદનું અનુસંધાન થાય છે. જમણે હાથના અંગૂઠાને ઘંટિકા( કાકડી)પરથી અંતર લઈ જઈ પાલની પાછળ ભાગ ઘસ તે કપાલરંધધતિ કહેવાય છે. આ ક્રિયા કફદોષ દૂર કરે છે, નાડીઓને નિર્મલ કરે છે, અને દિવ્યદૃષ્ટિ આપે છે. મલત્યાગ કરી રહ્યા પછી મધ્યમાં આંગળી વડે ગુદાચક્રમાંને સર્વ મલ જલદ્વારા જોઈ નાંખે તે મૂલશે ધનધૌતિ કહેવાય છે. આ ક્રિયા વડે અપાનની કૂરતા, કાઠાની કઠિનતા ને અજીર્ણ દૂર થાય છે, તથા શરીરની કાંતિની ને જઠરાગ્નિની વૃદ્ધિ થાય છે. વધૌતિને ઉપર બતાવેલી રીતે ગળીને ગુદાવાટે બહાર કાઢવામાં આવે છે તેથી પણ મલ સારી રીતે દૂર થાય છે. એ ક્રિયાનું નામ ગણે ક્રિયા કહેવાય છે. આ ક્રિયા પણ અંતતિને જ અવાંતર પ્રકાર જણ.. ૪ બસ્તિ બસ્તિ બે પ્રકારની છે, જલબસ્તિ તથા શુષ્કબસ્તિ. નાભિસમાન વા એક હાથ ઉંડા જલમાં પ્રવેશ કરીને ગુદામાં પ્રવેશ કરી શકે એવી છ આંગળ લાંબી અને ટચલી આંગળી જાય એવા દિદ્ધવાળી વાંસની કોમલ સ્પર્શવાળી ભૂંગળી લઈ, તે ચાર
SR No.006145
Book TitleYog Kaustubh
Original Sutra AuthorN/A
AuthorNathuram Sharma
PublisherAnandashram
Publication Year1949
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy