SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભા ] પ્રાણાયામનિરૂપણ ૨૦૪ -- - - ------- છિદ્ર જમણા હાથની અનામિકા તથા કનિષિકાથી રધી રાખવું, કુંભકના અંતમાં ને રેચકના આરંભમાં ઉફીયાનબંધ કરે. ત્યારપછી વળી સૂર્યનાડીથી પૂરક કરી પછી કુંભક કરી પશ્ચાત ચંદ્રનાડીથી રેયક કરો. આમ વારંવાર કરવું જે નાસાપુટથી પૂરક કર્યો હોય તેજ નાસાટે રેયક થાય ત્યારે એક પ્રાણાયામ થયો કહેવાય. રેચક કરેલા છિદ્ધથી પૂરક કરો પણ પૂરક કરેલા છિદ્રથી તુરતજ રેચક કરવો નહિ. આ ક્રિયાને અનલમવિલેમ વા મલશેધક પ્રણાયામ કહે છે. દિવસમાં ચાર વાર એટલે પ્રાત:કાલે, બેરે, સાયંકાલે અને મધ્યરાત્રિએ ત્રણ ત્રણ ઘડી સુધી પ્રાણાયામ કરવા. ઉપર જણાવેલી પ્રત્યેક વેલાએ ૮૦-૮૦ (એંશી એશી) પ્રાણાયામ કરવા જોઈએ. આ છેવટની રીતિ છે, આરંભમાં યથાશક્તિ કરી નિત્યપ્રતિ તેમાં ડી સંખ્યા વધારી શીપત પહોંચવું. જે અર્ધી રાત્રે પ્રાણાયામ ન થઈ શકે એમ હોય તે નિત્ય ત્રણ વાર પ્રાણાયામ કરવા. જેની. પ્રકૃતિ કેમલ હેય તેણે પ્રાતઃકાલે સાડ, મધ્યહાને ચાળીશ ને સાયંકાલે વીશ પ્રાણાયામ કરવા. આવી રીતે લાગઠ ત્રણ માસ. પ્રાણાયામને અભ્યાસ કરવાથી નાડીસમૂહ શુદ્ધ થાય છે. શરીરને સરલ તથા અચલ રાખી પ્રણવસહિત મૂલાધારથી. પ્રાણને ઊપાડી બંને નાસિકાપુરથી ધીમે ધીમે બહાર જવા દેવો ને ધીમે ધીમે તેને પાળ મૂલાધારપર્યત પ્રણવસહિત આવવા દે. આ વેલા દષ્ટિ નાસિકાગ્રપર રાખવી, ને ખોળામાં ડાબા હાથના પંજાપર, જમણા હાથને પંજો રાખવો. આવા પ્રાણાયામદ્વારા પણ નાડીઓની શુદ્ધિ થાય છે. કનિષ્ઠ પ્રાણાયામથી પરસેવે આવે છે, મધ્યમ પ્રાણાયામથી કંપ થાય છે, અને ઉત્તમ પ્રાણાયામથી શરીર હળવું થઈ પવન બ્રહ્મરંધ્રમાં લય પામે છે, બેંતાળીસ વિપલ કુંભક રહે તે કનિષ્ઠ પ્રાણાયામકલ છે, ચોરાશી વિપલ કુંભક રહે તે મધ્યમ પ્રાણાયામકલ છે, અને એક સો પચીશ વિપલ કુંભક રહે તે ઉત્તમ પ્રાણાયામકાલ છે.
SR No.006145
Book TitleYog Kaustubh
Original Sutra AuthorN/A
AuthorNathuram Sharma
PublisherAnandashram
Publication Year1949
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy