SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ શ્રીગૌસ્તુભ | દશમી. આલસ્ય તથા તંદ્રાને નાશ ને જઠરાગ્નિની પ્રબળતા થાય છે, તેમજ નાડીઓને મલ દૂર થઈ નિર્મલ થાય છે. ૧૪ ગોરક્ષાસન-ભદ્રાસન વૃષણની નીચે સીવનીના ડાબા ભાગમાં ડાબા પગની એડી પગને ઊલટાવીને રાખવી, અને સીવનીના જમણુ ભાગમાં જમણું પગની એડી પગને ઊલટાવીને રાખવી, ને બંને હાથનાં આંગળાં તથા અંગૂઠાવડે બંને પગનાં તળાં તથા આંગળાં મજબૂત અડાડી રાખવાં તથા જાલંધરબંધ કરી નાસાગ્રપર દૃષ્ટિ રાખવા તે ગોરક્ષાસન વા ભદ્રાસન કહેવાય છે. વિશેષ સ્પષ્ટીકરણ માટે પરિશિષ્ટમાં આપેલું આ આસનનું ચિત્ર જુઓ. બંને પાદલો વૃષણસમીપ જોડીને રાખવાં પછી તેના પર ડાબે હાથ ઊંધ રાખી તેપર જમણે હાથ ઊંધ રાખે તે પણ ભદ્રાસન કહેવાય છે. - આ આસનને સારી પેઠે અભ્યાસ કરી પછી શયન કરવાથી વીર્ય ખલિત થતું નથી, તથા આ આસનના પ્રભાવથી ઘણું રોગે નાશ પામે છે, ને કઠિન આસનવડે શરીરને જે શ્રમ થયે હોય તેને આ આસન દૂર કરે છે. પ્રસિદ્ધ હઠયોગી શ્રીમદ્દગોરક્ષનાથે આ આસનને ઘણો કાલ અભ્યાસ કરી તેને પ્રચાર કર્યો હતો તેથી સિદ્ધકોમાં આ ભદ્રાસનનું નામ ગોરક્ષાસન પડયું છે. ૧૫ ઊર્વપદ્માસન પ્રથમ અર્ધપદ્માસનની પેઠે બેસી પછી સઈ માથું ભેયપર રાખી કેડને બંને હાથના આધારથી ઉંચી કરી ને લેઠી અધર ઊપાડી રાખવી તે ઊર્ધ્વપદ્માસન કહેવાય છે.
SR No.006145
Book TitleYog Kaustubh
Original Sutra AuthorN/A
AuthorNathuram Sharma
PublisherAnandashram
Publication Year1949
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy