SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ શ્રી ગૌસ્તુભ [નવમી - સંહિતાભાગને વેદોક્ત મંત્ર હોય તે તેના ઋષિ છંદ ને દેવતા એ સ્મરણમાં રાખવા, ને ગાયત્રી મંત્રનો જપ હ તે તેનાં તે તે અવશ્ય સ્મરણમાં રાખવાં. જે મંત્રનો જપ કરવો તે મંત્રનો અર્થ પહા જા જોઈએ. અર્થ જાણ્યા વિના કરેલા મંત્રજપની સિદ્ધિ જોઈએ તેવી થતી નથી. શ્રીવૃદ્ધહારીતસંહિતામાં પણ નીચેના સ્પેકઠારા એમજ કહ્યું છે – " इत्य संचिंत्य मंत्रार्थ जपेन्मंत्रमतंद्रितः । अविदित्वा हि मंत्रार्थ जपेत् प्रयतमानसः ॥ न स सिद्धिमवाप्नोति स्वरूपं च न शिदते ॥" અથ –એવી રીતે આલસ્યરહિત થઈ મંત્રના અર્થનું ચિંતન કરીને મંત્રનો જપ કરે, મંત્રને અર્થ જાણ્યા વિના જે એકાગ્ર મનવડે જપ કરે તો પણ તે પુરુષ મંત્રની સિદ્ધિને તથા ઉપાસ્ય દેવતાના સ્વરૂપને પ્રાપ્ત થતું નથી. જ્યોતિષ્ઠોમાદિ સર્વ યજ્ઞોમાં હિંસાદિ દેષરહિત હોવાથી જપયન શ્રેષ્ઠ છે, માટે જ શ્રીભગવાન શ્રીગીતાજીમાં “ચણાનાં શપથોરિ” (યજ્ઞોમાં જપયજ્ઞ હું છું) એમ કહ્યું છે. શ્રી મનુસ્મૃતિના બીજા અધ્યાયમાં પણ નીચેના બ્લેકવડે જપયજ્ઞનું શ્રેષ્ટપણે જણાવ્યું છે “ये पाकयज्ञाश्चत्वारो विधियज्ञसमन्विताः । सर्वे ते जपयज्ञस्य कलां नार्हति षोडशीम् "॥ અર્થ –વૈશ્વદેવહેમ, (દેવયજ્ઞ,) બલિદાન, (ભૂતયા,) નિત્યશાહ (પિતૃયજ્ઞ ) ને અતિથિભજન (મનુષ્યયg) એ ચાર પ્રકારના પાક્યા છે તે તથા દર્શૌર્ણમાસાદિક જે વિધિયજ્ઞ છે તે સર્વે જપરૂપ યાના સેળમા ભાગની તુલ્ય પણ નથી થતા. જપ મનની બહિવૃત્તિને નાશ કરે છે, ને કામનાવાળા મનુષ્યને બહુધા ઉપાસ્ય દેવની પ્રસન્નતાદ્વારા ઈચ્છિત ફળની પ્રાપ્તિ કરાવે છે, અને ફલની કામનારહિતના ચિત્તની શુદ્ધિ કરે છે. -:6:
SR No.006145
Book TitleYog Kaustubh
Original Sutra AuthorN/A
AuthorNathuram Sharma
PublisherAnandashram
Publication Year1949
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy