SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભા] યમનિરૂપણ રહે એ નિરંતર આશીર્વાદ આપે છે. ત્યાં કહ્યું છે કે – " सर्वेऽत्र सुखिनः संतु सर्वे संतु निरामयाः। सर्वे भद्राणि पश्यतु मा कश्चिदुःखमाप्नुयात् ॥". અર્થ –આ સંસારમાં સર્વ પ્રાણીઓ સુખી થાઓ, સર્વે રંગરહિત થાઓ, સર્વ કલ્યાણને અનુભ, ને કેાઈ દુ:ખને ન પામે. | સર્વ પ્રાણીઓ પર અનુકંપા રાખવી એ સર્વ માણસને સામાન્ય ધર્મ છે, માટે મે સાધકે પોતાના સાધનને બાધ ન આવે એવી સામાન્ય દયા રાખવી. અત્યંત દયા કરવારૂપ અસાધનનું અનુષ્ઠાન કરવાથી મુખ્ય સાધનની નિવૃત્તિરૂપ બંધન થાય છે, જેમ ભારતરાજાને મૃગનું બચ્ચું પાળવાથી તે બંધનરૂપ થયું હતું. અત્યંત દયાલુપણને તથા અત્યંત ઉપેક્ષાને ત્યાગ કરી સર્વત્ર સામાન્ય રીતે વર્તવાને શ્રીઆચાર્યભગવાને પણ નીચેના વચનથી ફસાધકને બંધ કર્યો છે – “નાદુર્યમુસ્કુરાતા” અર્થ –હે મેક્ષસાધકપુરુષે ! તમે મનુષ્ય પર અત્યંત દયા રાખવાના સ્વભાવને તથા તેમના પર નિષ્ફરપણું રાખવાના સ્વભાવનો ત્યાગ કરે . જે કદી પોતાની પાસે દાન દેવા માટે સંપત્તિ ન હોય તે પણ પિતાના હૃદયમાં સર્વે પ્રાણુઓઉપર યથાસાધ્ય અનુગ્રહની વૃત્તિ તે અવશ્ય રાખવી, ને તે પ્રમાણે વાણું તથા શરીરથી વર્તન કરવું, કેમકે દાનથી દયા વિશેષ શ્રેષ્ઠ ગણાય છે. શ્રીવસિષસંહિતામાં પણ નીચેના વચનથી એમજ કહ્યું છે – “જવાતાવ મેરે રચા રાજા૪િષ્ય ” અર્થ –ઉપવાસ કરવાથી ભિક્ષાનું અન્ન ભક્ષણ કરવું તે શ્રેષ્ઠ છે, અને દાન કરવાથી દયા કરવી તે શ્રેષ્ઠ છે.
SR No.006145
Book TitleYog Kaustubh
Original Sutra AuthorN/A
AuthorNathuram Sharma
PublisherAnandashram
Publication Year1949
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy