________________
૧૨૨
શ્રીગૌસ્તુભ
[ આઠમી
-
-
ગુણાત્મક ભક્સપેય પદાર્થો ખાવાપીવા નહિ, શરીર પવિત્ર રહેવું, તથા પવિત્ર વસ્ત્ર પહેરવાંઢવાં, પણ તેથી વિષયા,રાગી ન થવાય તેની સુરત રાખવી. શાંત ચિત્તવાળા બ્રહ્મજ્ઞાની મનુષ્ય સ્ત્રીપુરૂને વિષે સમાનદષ્ટિ રાખતાં શીખે છે, અને શિલારચિત ગુફા અને દેહના ભૌતિકઆકારોને સરખા ગણ સ્ત્રીને અને ગુફાને એકસરખી દષ્ટિએ જુએ છે.
જે સાત્વિક સાધક દઢ પ્રતિજ્ઞા કરી પિતાના શ્રીગુરુએ ઉપદેશ કરેલા ઉપાયવડે ચક્ષુરાદિ ઈદ્રિયોને સારી રીતે નિયમમાં રાખવામાં વિજય પામશે, ને નિયમિત આહારદ્વારા પિતાની જિદ્વાને જિતશે તે જ વિમલ બ્રહ્મચારી થઈ શકશે.
નિરંતર અસાવધ રહેનાર ને દીર્ધસત્રી મનુષાનું જીવન વ્યર્થ છે, કારણકે આ વિચિત્ર સૃષ્ટિમાં તેની ઘણીખરી શુભ ઇચ્છાઓ તેના મનમાં જ રહી જશે. પ્રકટ માયા–કનક કાંતા ને રસાસ્વાદ એ ત્રણ અભ્યાસી વિદ્વાનના ચિત્તને પણ ત્વરિત ગતિથી આકર્ષે છે, માટે સર્વ યોગાભ્યાસીએ તેનાથી સર્વદા સાવધ રહેવું જોઈએ.
મદન પિતાની સાથે ઘણાં છલ અને અયોગ્ય યુક્તિઓ લેતા આવે છે. વસંતઋતુ, વર્ષાઋતુ, ચાંદની, પુષ્પોની સુગંધ, નિશાને અંધકાર અને એકાંત એ સ્ત્રીની સાથે મળી બહુધા સામાન્ય વૃત્તિન પુરુષના મનમાં મદનની ઉત્પત્તિ કરી તેમને વ્યથિત કરે છે.
મન એ બાળકના જેવું અજ્ઞાની અને દુરાગ્રહો છે, તે વિષય એ બળતા અગ્નિ, વિષધર સર્પ કે ઊઘાડી તીણ તલવારના જેવા છે. જે મનને ઈદ્રોદ્વારા વિષયને યથેચ્છ ઉપભાગ લેવા દેવામાં આવે તે તેથી અકૃત્રિમ (સ્વાભાવિક) આત્માનંદને નાશ અનુભવાય છે, ને જે તે નથી લેવા દેવામાં આવતે તે તે મેહને અધીન થઈ વ્યાકુલ થાય છે, માટે ગસાધકે પોતાના શ્રીસપરમાત્માના આશયથી વિવેક તથા યુક્તિવડે તે શનૈઃ શનૈઃ વિષયોથી મેળું કરવું.
સૃષ્ટિકર્તા પ્રભુ મને સર્વત્ર ને સર્વદા દેખે છે એમ બ્રહ્મચારી