SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ગૌસ્તુભ [સાતમી અવિવેકી યોગી યોગને ઇચ્છે છે. બહારને સંગ પણ અભ્યાસકાલે ગાભ્યાસી બે ત્યજવાયોગ્ય છે. તેના સંબંધમાં કઈ વિદ્વાને કહ્યું છે કે – तेन संगः परित्याज्यः सर्वदा सुखमिच्छता ॥" અર્થ-આ લેકમાં સંગવાળા પુરુષ નિશ્ચય પીડા પામે છે, ને સંગરહિત પુરુષ સુખને પામે છે, માટે સુખેષ્ણુ પુરુષે સર્વદા જનસંગ પરિત્યાગ કરવાગ્ય છે. ગાભ્યાસને આરંભ કરતી વેલા સ્કંદપુરાણમાં આપેલી નીચેની સૂચના સાધકે અવશ્ય લક્ષમાં રાખવી જોઈએ— " नातितृप्तः क्षुधातॊ वा न विण्मूत्रादिबाधितः । नाखिन्नो न चिंताों योगं युंजीत योगवित् ॥" અર્થ:–અતિતૃપ્ત અવસ્થામાં, સુધાર્તિ અવસ્થા માં, વિષ્ણામૂત્રના ત્યાગનો સમય થવાથી પીડા થતી હોય તે કાલે, પ્રવાસથી ગ્લાનિ 'ઉપજી હેય તે કાલે તથા ચિતાર્ત સ્થિતિમાં યોગાભ્યાસી પુરુષે વેગમાં જોડાવું નહિ. જે દેશનો રાજા તથા પ્રજા દુષ્ટ વિચારવા તથા દુષ્ટ આચારવાળાં હોય તે દેશ યોગાભ્યાસ માટે પ્રતિકૂલ ગણાય છે. પૃથ્વીની અંતરના ગર્ત, નદી આદિના વહનપ્રતિથી થયેલી પ્રકાશવિનાની સ્વાભાવિક ગુહાઓ, જેના ઉપરના ભાગમાંથી કઈ પણ ઋતુમાં પાણી ટપક્યું હોય તેવી કૃત્રિમ ગુહા, સાક્ષાત સમીપનાં ગૃહમાં ગૃહસ્થાશ્રમી સ્ત્રીપુરુષ વસતાં હોય તેવું ગૃહ, જીર્ણ ગૃહ, મચ્છાદિ જંતુઓના અતિઉપદ્રવવાળું ગૃહ, ચોર સિહ વ્યાઘ ને સર્પાદિ ભય ઉપજાવનારાં પ્રાણીઓનું વારંવાર આવુંજવું થવાના સંભવવાળું સ્થાન, દેવળના મંડપ ને ગર્ભાગાર, રાખ, કેશ, ઘાસ, અંગારા, હાડકાં ને દુર્ગધવાળા તથા અપવિત્ર પદાર્થો જ્યાં પડ્યા રહેતા હોય તે સ્થાન, મન તથા ઈદ્રિયોને અસુખાકારી ઉપજાવ
SR No.006145
Book TitleYog Kaustubh
Original Sutra AuthorN/A
AuthorNathuram Sharma
PublisherAnandashram
Publication Year1949
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy