SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ શ્રીયેાગકૌસ્તુભ [ ઠ્ઠી કહેલા ક્રિયાયાગને યમનિયમરૂપ અંગામાંજ અંતર્ભાવ છે. શ્રીબ્યાસાદિ જે જન્મથીજ યેગી થયા છે તે ઉત્પત્તિયેાગ પણ પૂર્વજન્મમાં અનુષ્ઠાન કરેલા રાજયાગના પ્રાથીજ પ્રાપ્ત થાય છે, માટે તે પણ રાજયાગ માંજ અંતર્ભાવ છે, અને સિદ્ધ થયેલા પારદાદિક દેવ્ય ઔષયાદિનું ભક્ષણ કરવાથી પણ યાગમિદ્ધિની પ્રાપ્તિ થાય છે, તે પણ પૂર્વજન્મમાં કરેલા રાજયાગનું કુલ છે, માટે તેને પણ રાજયાગમાંજ સમાવેશ થાય છે. એ રાજયાગ સર્વ યાગાનેા રાજા છે. સીએમનસ્ક ખંડમાં પણ નીચેના વચનથી એમજ કહેલ છે: . 'राजत्वात्सर्वयोगानां राजयोग इति स्मृतः ॥ '' राजतं दीप्यमानं तं परमात्मानमव्ययम् । प्रापयेद्देहिनां यस्तु राजयोगः स कीर्तितः ॥” ** ભાવાર્થઃ—ડયાગાદિ સર્વ યાગમાં શ્રેષ્ઠ હોવાથી આને રાજયાગ કહેલ છે. સ્વયંપ્રકાશ અને અવિનાશી પરમાત્માર્થ સાધક પુરુષને પ્રાપ્તિ કરાવે છે માટે પણ તે રાજયોગ કહેવાય છે. એ પ્રમાણે શ્રીયાગકૌસ્તુભમાં ચાર પ્રકારના યાગનું વર્ણન એ નામની છઠ્ઠી પ્રભા સમાપ્ત થઈ. દુ -[*] ઉપાદાનવિષેજ વૃત્તિના લય સંભવે છે, નિર્વિકાર બ્રહ્મવિષે લય સંભવતા નથી, તથાપિ બ્રહ્મના ભાનરૂપ નિમિત્તે કરી વૃત્તિના લય થયેા છે તેથી ઉપચારથી બ્રહ્મવિષે લય કહેવાય છે; અથવા તે સમાધિમાન્ યાગવિદ્રષ્ઠિની દષ્ટિથી ગુણાદિ પ્રતીત થાય નહિ, કિંતુ શુદ્ધ બ્રહ્મજ પ્રતીત થાય છે, ત્યાં તે ( બ્રહ્મવિવર્ત ) વૃત્તિ( દૃષ્ટિ )( ના અભાવ થયા, માટે પણુ વૃત્તિના લય બ્રહ્મવિષે થયા એમ કહેવાય છે.
SR No.006145
Book TitleYog Kaustubh
Original Sutra AuthorN/A
AuthorNathuram Sharma
PublisherAnandashram
Publication Year1949
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy