________________
શ્રીયોગકૌસ્તુભ
[છઠ્ઠો થાય તે સ્યાન, બે વિરુદ્ધ કોટિને સ્પર્શ કરનારી કિવા ઉપાયના નિશ્ચયના અભાવવાળી ચિત્તવૃત્તિ તે સંશય, સમાધિનાં સાધનને વિચાર તથા તે સાધનનું અનુષ્ઠાન ન કરવું તે પ્રમાદ, કદાદિ દોષની વૃદ્ધિદ્વારા તથા તમોગુણની વૃદ્ધિદ્વારા તથા શરીરના તથા ચિત્તના ભારેપણથી “પછી કરીશ” એવા પ્રકારની ગસાધનવિષે થતી જે ઉપેક્ષાબુદ્ધિ તે આલસ્ય, વિષયોની અભિલાષા તે અવિરતિ, વિપરીતમિથ્યા-જ્ઞાન (કર્તવ્યમાં ને અકર્તવ્યનો ને અકર્તવમ કર્તવ્યને નિશ્ચય) તે ભ્રાંતિદર્શન, મધુમતી આદિ કેઈ પણ સમાધિભૂમિની અનુષ્ઠાન કરવા છતાં પ્રતિબંધક સંસ્કારના બહુપણાથી અપ્રાપ્તિ તે અલબ્ધભૂમિકત્વ, અને પ્રાપ્ત થયેલી મધુમતી આદિ ગભૂમિમાં ચિત્તની અસ્થિરતા કિવા કેટલોક સમય ઉપાસનામાં પ્રવૃત્તિ તે કેટલોક સમય યોગદાનાદિમાં પ્રવૃત્તિ અને વળી ક્યારેક ખેડવ્યાપારાદિમાં પ્રવૃત્તિ આવી જે ચિત્તની
વ્યવસ્થાવિનાની સ્થિતિ તે અનવસ્થિતત્વ કહેવાય છે. ઉક્ત યોગવિદ્યોરૂપ ચિત્તવિક્ષેપની સાથે દુઃખ, દૌર્મનસ્ય, અંગમેજયત્વ તથા શ્વાસપ્રશ્વાસ પણ થાય છે. જેને અનુભવ થવાથી મનુષ્યાદિને તે પ્રતિકૂલ લાગે છે. કિવા જેનો અનુભવ થતાં છે તેને દૂર કરવા પ્રયત્નવાન થાય છે તે દુ:ખ. એ દુઃખનું પ્રકા સહિત વર્ણન પૂર્વ થઈ ગયું છે. પિતાની ઈચ્છાને ભંગ અથવા અનાદર થવાથી મનુષ્પાદિના મનમાં જે ક્ષેભ કિયા પરિતાપ ઉ જાવનારી ચંચલતા ઉત્પન્ન થાય છે તે દૌમનસ્ય કહેવાય છે. અંગકંપને યોગીઓ - હિંસા કરનારા, લેબી, ક્રોધી, નિર્બલ ને વિના વાંકે દુઃખદેનારા, થોડા સ્વાર્થ માટે પણ અસત્ય બેલનારા, કલેશ કરનારા, શોક કરનારા, બીકણ, નિદ્રાશીલ, આળસુ, કૃત્યાકૃયના વિચારવિનાના, પારકે કોહ કરનારા, સંશયી, પ્રમાદી અને દીર્ઘસૂત્રી ભક્તો તોગુણી ભૂતપ્રેતની ભક્તિ કરે છે.
ઉપર દર્શાવેલ ભક્તોમાંના સત્ત્વગુણવાળા ભક્તોનેજ પરમાત્માની અનન્યભક્તિ વડે સમાધિલાભ થાય છે.