________________
૯૪ શ્રીગૌસ્તુભ
[ છઠ્ઠી પ્રકારના દુઃખની અત્યંતનિવૃત્તિ અને પરમાનંદની નિત્ય પ્રાપ્તિ એ મેક્ષ કહેવાય છે, અને તે મેળવવાને ઉપાય વિવેકાદિદારા તથા શ્રવણ મનન ને નિદિધ્યાસનદ્વારા થયેલું આત્માનું યથાર્થ જ્ઞાન છે. તે આત્મજ્ઞાનની વિષયના ભેદથી સાત પ્રકારની અવસ્થા છે. તેમાંની પહેલી ચાર અવસ્થા–ભૂમિકાને કાર્યવિમુક્તિ અને બીજ ત્રણ અવસ્થાને ચિત્તવિમુક્તિ એ સંજ્ઞાથી ઓળખવામાં આવે છે. પહેલી ભૂમિકા
યશન્ય છે. આ અવસ્થા જે યોગીને પ્રાપ્ત થાય છે તેને એમ ચિન થાય છે કે પૂર્વકાલમાં મારે ઘણુંજ જાણવાનું હતું, પણ હવે મારે કાંઈ પણ જાણવા જેવું રહ્યું નથી, જાણવાનું સદળું મેં જાણ્યું છે. બીજી અવસ્થા હેયશન્ય છે. એ ભૂમિકા પ્રાપ્ત થવાથી યોગીને એમ લાગે છે કે આગળ મારે કામાદિ અનેક ત્યજવાયોગનો ત્યાગ કરવાને હતા, પણ હવે મારે કાંઈ પણ ત્યજવાનું રહ્યું નથી. ત્યજવાયોગ્ય બંધનના સર્વે હેતુઓને મેં નાશ કર્યો છે. ત્રીજી પ્રાપ્તપ્રાય-અવસ્થામાં સ્થિર થવાથી મેગીને એમ પ્રતીત થાય છે કે વિયના લાભે મને સર્વ કાંઈ પ્રાપ્ત થઈ ગયું છે, હવે મારે કઈ "ણ વસ્તુની પ્રાપ્તિ કરવી અવશેષ રહી નથી. જેથી કર્તવ્યશન્ય અવસ્થામાં સ્થિર થવાથી વિવેકખ્યાતિની પ્રાપ્તિવડે કરવાનું સઘળું મેં કર્યું. હવે મને કાંઈ પણું કર્તવ્ય રહ્યું નથી, એમ તે યોગીને જણાય છે. પાંચમી ભૂમિકામાં સ્થિર થવાથી યોગીને જણાય છે કે ' ર્વકાલમાં હું અનેક બુદ્ધિજન્ય દુઃખેથી ગ્રસ્ત હતા, પણ હવે મારાં સર્વ દુબે ક્ષય થઈ ગયાં છે, ને મારી બુદ્ધિ કૃતાર્થ થઇ છે. છઠ્ઠી અવસ્થા પ્રાપ્ત થાય છે ત્યારે યોગીને એમ સમજાય છે કે મારા અંતઃકરણના ગુણે દગ્ધબીજવત થઈ ગયા છે. પ્રોજન ન હોવાથી હવે પુનઃ તેમની ઉત્પત્તિ નહિ થાય, અને છેલ્લી અથવા સાતમી ભૂમિકા જ્યારે યોગીને પ્રાપ્ત થાય છે ત્યારે તેની બુદ્ધિ પુરુષમાં લયભાવને પામવાથી તે