SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન હદની બહાર તેમની અસર વર્તાતી નથી. તેઓની અસર પુદ્ગલ અને જીવ પદાર્થ સાથે સંબંધિત છે. આ બે અગમ્ય પ્રાકૃતિક પદાર્થો વિશ્વના આકાશ સાથે સમવ્યાપક છે, તેમના સ્થાન એક જ છે. એક સાથે જ છે, એક બીજામાં સંમિલિત થઈને અસ્તિત્વ ધરાવે છે, એટલે તેઓ બે જુદા છે તેવું કલ્પી શકાતું નથી, પરંતુ મૂળભૂત રીતે તેઓ બંને અલગ અલગ દ્રવ્ય છે, બંનેના કાર્ય અને સ્વભાવ જુદા છે. તેના કારણે તેઓ જુદા છે તેવું અનુમાન કરી શકાય છે. બુદ્ધિથી સમજી શકાય છે. તેઓ લોકાકાશના એક એક પ્રદેશમાં રહેલા છે. પરંતુ વસ્તુ તરીકે જુદા છે. ટૂંકમાં તેઓમાં સ્થાનનું ઐકય હોવા છતાં વસ્તુ તરીકે જુદા છે. આ વિશ્વમાં ધર્મ, અને અધર્મ, અને આકાશ, તેમના કાર્ય વડે નક્કી થાય છે. » આકાશના બે વિભાગ લોકાકાશ અને અલોકાકાશ : जीवा चेव अजीवा य, एस लोगे वियाहिए । अजीव देसमागासे, अलोए से वियाहिए ॥ (શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ૩૬-૨) અર્થ:- જયાં જીવો અને અજીવો રહેલા છે, તે લોકાકાશ છે. જ્યાં આકાશ સિવાય બીજાદ્રવ્યો નથી તે અલોકાકાશ છે. वस्तुतस्तु नभोद्रव्यमेकमेवास्ति सर्वगम् । धर्मादि साहचर्येण द्विधा जातमुपाधिना ॥ लोकालोकप्रमाणत्वात्, क्षेत्रतोऽनन्तमेव तत् । असंख्येय प्रमाणं च, परं लोकविवक्षया ॥ (શ્રી લોકપ્રકાશ સર્ગ ૧-૩૯-૪૦) અર્થ :- વાસ્તવમાં આકાશદ્રવ્ય, દ્રવ્યથી એક અને સર્વવ્યાપી છે. પરંતુ ધર્માદિ સાથે રહેવારૂપ ઉપાધિ વડે (ઉપચારથી-(‘ઉપચાર” શબ્દની
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy