________________
(૪) ભૂમિકા ઈશ્વર કર્તુત્વ
[
(૪) ભૂમિકા - ઈશ્વર કતૃત્વ
– આશ્ચર્યકારી અને રહસ્યભૂત એવી ત્રિપદી શ્રીતીર્થકર ભગવાનના
જ્ઞાનની ગહનતા સૂચવે છે.
છ એ પદાર્થોમાં ત્રિપદી વ્યાપક છે :
શ્રી તીર્થંકરભગવાન, શ્રીગણધર ભગવન્તોને જે ત્રિપદી આપે છે, તે શાસ્ત્રોનું બીજ ગણવામાં આવ્યું છે. કારણ કે ગણધર ભગવંતો, તે ત્રિપદી પ્રાપ્ત કરી સર્વ શાસ્ત્રગ્રંથોની રચના કરવાનું સામર્થ્ય પ્રાપ્ત કરે છે, અને રચના કરે છે. જૈન શાસ્ત્રોમાં આ ત્રિપદી પ્રચલિત છે. ઉત્પત્તિનાશ-અને સ્થિતિ.
આધ્યાત્મિક દૃષ્ટિએ તેનું રહસ્ય આપણે જોયું. શાસ્ત્રો મુજબ વિશ્વના ઘટકભૂત છએ પદાર્થો અને તેના અવાંતર સર્વે પેટાભેદોમાં તે ત્રિપદી વ્યાપક છે. છએ પદાર્થો ત્રિગુણાત્મક સ્વભાવ ધરાવે છે. શ્રી તત્ત્વાર્થ સૂત્રમાં તેને જણાવતું સૂત્ર છે. કાવ્ય ધ્રૌવ્યયુ સત્ (પર૯) કોઈ પણ અસ્તિત્ત્વ ધરાવતો પદાર્થ હોય એમાં આ ત્રણે ગુણધર્મો અવશ્ય હોય જ, તેના વિના તે વાસ્તવિક પદાર્થ જ ન ગણાય. (જુઓ પૃ.૨૯૧થી ૨૯૫) વિશ્વમાં પદાર્થોનું બાહ્યદૃષ્ટિએ પરિવર્તન (નાશ અને ઉત્પત્તિ) થવા છતાં આંતરિક સ્વરૂપ અવશ્ય સ્થિર (ધ્રૌવ્ય) રહે છે. ચાહે તે ભૌતિક પદાર્થ હોય કે જીવાત્મા હોય કે અન્ય પદાર્થો હોય. માટીમાંથી ઘડો, ઘડામાંથી ઠીકરા, અને અંતે માટીમાં ભળી જાય છે. ખેતરની જમીનનો માટીનો પિંડ એ, ઘાસ, અનાજ, દૂધ, રસોઈ, ભોજન, વિષ્ટા આદિ બાહ્ય અવસ્થાને પામતો હોવા છતાં તેના મૂળ આંતરિક માટી સ્વરૂપમાં સ્થિર હોય છે, તેથી અંતે માટીમાં ભળી જાય છે. આવી રીતે જીવદ્રવ્યવિષે વિચારીએ તો, બાહ્ય પરિવર્તનો પામતો સંસારીજીવ, દેવ