________________
३४८
જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન ૮૪ લાખ પૂર્વાગ (= ૮૪ લાખ ૪ ૮૪ લાખ વર્ષ) = ૧ પૂર્વ. (૭૦, પ૬૦ અબજ વર્ષ)
આ રીતે ૮૪ લાખ+ = (૧૯૪ આંકડાની સંખ્યા) શીર્ષપ્રહેલિકા.
અહીં સુધી નામ આપેલા છે. તેની આગળની સંખ્યા પણ સંખ્યાત છે, પણ ગણિતનો વિષય બનતું નથી, તેમજ તેથી પણ આગળ અસંખ્યાતના પલ્યોપમ” અને “સાગરોપમ'ના નિશ્ચિતકાળના પ્રમાણ (જથ્થા)ના નામો ઉપમાદ્વારા આપેલા છે તે જોઈએ. - ૬ પ્રકારના પલ્યોપમ કાળનું સ્વરૂપ
(૧) બાદર ઉદ્ધાર પલ્યોપમ - ૧ યોજન (૨૮ માઈલ) ગોળાકારે લાંબો પહોળો અને તેટલો જ ઊંડો એક પ્યાલાઆકારનો ખાડો કલ્પો. (દેવકુરુ નામનું યુગલિકમનુષ્યનું ક્ષેત્ર છે, ત્યાંના) ૭ દિવસના યુગલિક બાળકનો વાળ (જે અહીંના બાળક કરતાં પણ સૂક્ષ્મ હોય છે.) એક અંગુલ (આશરે વા ઈંચ) જેટલો લઈ તેના ૭ વાર ૮ ટૂકડા (એટલે કે ૮ =૨૦,૯૭,૧૫૨) કરવા, તેટલા સૂક્ષ્મવાળોથી તે પ્યાલાને ઠાંસીઠાસીને ભરી દેવો, કે જેથી ચક્રવર્તિનું સૈન્ય ચાલ્યું જાય તો પણ તેમાંના વાળ વધુ દબાય નહિ. હવે આ બધા વાળને એક-એક સૂમ સમયે એકએક કાઢો, તે જેટલા સમય થાય તે બાદર ઉદ્ધાર પલ્યોપમ કહેવાય. આ સંખ્યા પણ માત્ર સંખ્યાત જ થશે. ૧ સેકંડથી પણ અલ્પકાળમાં તે ખાડો ખાલી થઈ જશે.
(૨) સૂક્ષમ ઉદ્ધાર પલ્યોપમ :- હવે તે ટૂકડાના એકએકના અસંખ્યાત ટૂકડા કલ્પીએ અને પ્રતિસમયે એકએક ટૂકડો કાઢીએ, તો તે સંખ્યાલક્રોડ વર્ષે ખાલી થાય. તે સમયોનું જે પ્રમાણ આવે તે, સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ.
(૩) બાદર અદ્ધાપલ્યોપમ - હવે પૂર્વોક્ત (૧)માં કહેલા વાલા... સો સો વરસે એકએક કાઢતાં ખાલી થાય તે બાદર અદ્ધા પલ્યોપમ.