________________
(૫૭) સૂત્ર-૩૭ -દ્રવ્ય, તેમજ ગુણ અને પર્યાય
૩૩૧ દર્શનોપયોગ વિગેરે પણ પર્યાયો છે. આ રીતે જ્ઞાનગુણની માફક, આત્માના બીજા ગુણો દર્શન, ચારિત્ર વિગેરેના પર્યાયો પણ આ રીતે સમજવા.
દેવ, મનુષ્ય, પશુ (તિર્યંચ), નરક આ ૪ ગતિ, એ જીવના કર્મજનિત શરીરના પર્યાયો છે. બાલ્ય-યુવાન-વૃદ્ધાવસ્થા વિગેરે મનુષ્ય ગતિના વળી અવાંતર પર્યાયો છે. એટલે કે જીવદ્રવ્યનો મનુષ્યગતિ, એ પર્યાય, તે મનુષ્યગતિનો પણ બાલ્યઅવસ્થા વિગેરે પર્યાયનો પણ પર્યાય છે. જીવદ્રવ્યના આ સઘળા પૌદ્ગલિકશરીરરૂપ પર્યાયો વડે જ જીવદ્રવ્ય જણાય છે. તેમજ તે માત્ર અનુમાનથી જ જણાય છે. પરંતુ જેવી રીતે પુદ્ગલદ્રવ્યના ગુણો અને પર્યાયો ઇન્દ્રિય પ્રત્યક્ષ થાય છે, તેવી રીતે તે પ્રત્યક્ષ થતા નથી. કારણ કે જીવદ્રવ્ય પણ અરૂપી છે, અને તેના જ્ઞાનાદિગુણો, અને ઉપર જણાવ્યા તે, ઉપયોગાદિ પર્યાયો પણ અરૂપી છે. જોકે દરેકને પોતાનો આત્મા મેં જાણ્યું, મને સમજાયું, મને સુખ, સ્વસ્થતા છે, આદિ સંવેદનવડે જણાય છે.
આના પરથી એટલું સ્પષ્ટ થાય છે કે, ગુણ અને પર્યાય દ્વારા જ, દ્રવ્યને આપણે જાણીએ છીએ. હજુ ઊંડાણથી વિચારતાં સમજાશે છે કે, દ્રવ્ય અને ગુણ બંને પણ, પોતપોતાના પર્યાયોથી જ જણાય છે. -- ગુણો અને પર્યાયો, બંનેનો આધાર દ્રવ્ય છે -
આ રીતે જોતાં એ સ્પષ્ટ થાય છે કે, પાંચે અસ્તિકાય દ્રવ્યો, એ ગુણો અને પર્યાયોનો સમૂહ છે. ગુણો અને પર્યાયો બંનેનો આધાર દ્રવ્ય છે. પુદ્ગલના સ્પર્શાદિ-૪, એ સદા સાથે રહેનારા ગુણો છે, અને કઠીન, મૂદુ આદિ પર્યાયો છે. તે ક્રમસર બદલાયા કરે છે. દરેક દ્રવ્યમાં ગુણ અને પર્યાય અવશ્ય હોય જ. ગુણ પર્યાય વગરનું દ્રવ્ય ક્યારેય ન હોય. દ્રવ્ય વિના, ગુણ અને પર્યાય અન્ય ક્યાંય ન રહે. તેથી ગુણપર્યાયવાળું દ્રવ્ય