________________
(૫૬) સૂત્ર-૩૨થી ૩૫:- પુદ્ગલોનો પરસ્પરબંધ
૩૨૩
ન્યૂટ્રોનનું બંધારણ બતાવે છે કે, તે એક સ્નિગ્ધકણ સાથે એક રૂક્ષકણ જોડાવાનું દૃષ્ટાંત છે, અર્થાત્ પ્રોટોન, ઇલેકટ્રોન સાથે ગાઢબંધનથી સંયોજાય છે. આધુનિકઅણુનો nuclei (કેન્દ્ર) પણ પ્રોટોન્સ, ન્યૂટ્રોન્સ અને ન્યૂસોન્સનો સમૂહ જ છે. તેથી તે સ્નિગ્ધની સાથે રૂક્ષના સંયોજનનું દૃષ્ટાંત પૂરું પાડે છે. અણુઓમાંથી કંધોના બંધારણમાં આપણને ફરી સ્નિગ્ધ અને રૂક્ષ અણુઓનું સંયોજન જોવા મળે છે. (સોડિયમ કલોરાઇડ) સોડિયમ અને કલોરિનના અણુઓનો બનેલો છે. જ્યારે તેને પાણીમાં ઓગાળવામાં આવે છે ત્યારે તે સોડિયમના ધન ions (સ્નિગ્ધ) અને ક્લોરિનના ઋણ ions (રૂક્ષ)માં વિભાજિત થાય છે. સૂત્ર આ મુજબ છે. Nacl = Na + cl, અથવા કોપર સલ્ફેટના કિસ્સામાં (Nila Tutiya) cuso, = cü + so (બિંદુઓ સ્નિગ્ધ, અને લીટીઓ રૂક્ષ બતાવે છે) → જઘન્ય અંશવાળા સ્નિગ્ધ કે રૂક્ષનો બંધ ન થાય :
સૂત્ર-રૂ૨ ન નધન્યમુળાનામ્ ર્॥
અર્થ :- જઘન્યગુણ સ્નિગ્ધ, તેમજ જઘન્યગુણ રૂક્ષ, આવા પુદ્ગલોનો પરસ્પર બંધ થતો નથી.
કોઈ પુદ્ગલોમાં રૂક્ષ સ્પર્શ, તો કોઈમાં સ્નિગ્ધ સ્પર્શ હોય છે. છતાં રૂક્ષતા અને સ્નિગ્ધતાના અંશમાં ન્યૂનાધિકતા હોય છે. જેમકે પાણી, બકરીનું દૂધ, ભેંસનું દૂધ દરેકમાં સ્નિગ્ધગુણ હોવા છતાં પાણી કરતાં બકરીનાં દૂધમાં સ્નિગ્ધતા વધારે, અને તેનાથી વધારે ભેંસના દૂધમાં. તે જ રીતે ધૂળ, ધાન્ય, ફોતરાં, રેતી વિગેરેમાં ઉત્તરોત્તર રૂક્ષતા વધુ છે.
આપણે સ્નિગ્ધ કે રૂક્ષગુણનો સૌથી નાનોવિભાગ (અંશ) કલ્પીએ, જેના કેવલીની દૃષ્ટિએ બે વિભાગ ન થાય, આવા એકવિભાગ જેટલી સ્નિગ્ધતા કે રૂક્ષતા જે પુદ્ગલમાં હોય, તે એકગુણ અંશ, જો બેભાગ હોય તો બેગુણ અંશ ઇત્યાદિ. આ એકગુણ અંશ, સ્નિગ્ધ કે રૂક્ષ, એ