________________
૨૯૨
જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન અર્થ થતો હોય. તેને સત્પદ કહેવાય છે. તે વસ્તુ જગતમાં અવશ્ય હોય જ. દા.ત. ઘટ, પટ, મકાન, દેવ, આત્મા, મોક્ષ વિગેરે પદો સત્પદ છે. તેથી તે વસ્તુઓ સત્ છે. બે શબ્દોથી બનેલું સામાસિકપદ હોય, અને તેનો અર્થ જગતમાં પ્રચલિત હોય તો તે વસ્તુ પણ હોય દા.ત. મૃગશૃંગ = હરણનું શીંગડું. તેથી તે સત્ છે.
(૨) અસત્પદ - જે શબ્દ કે શબ્દોનો અર્થ જ ન થતો હોય, જે વસ્તુ જગતમાં પ્રચલિત ન હોય તેવું, જેમ તેમ શબ્દો જોડીને બનાવેલું પદ દા.ત. “ડિત્ય, પવિત્ય' વિગેરે. આનો કોઈ અર્થ થતો નથી, અને તેવી વસ્તુ કોઈએ ક્યારેય પણ જોઈ, જાણી કે સાંભળી નથી. તેથી તે અસત્પદ છે. તેવી વસ્તુઓ અસત્ કહેવાય. એટલે કે અવાસ્તવિક વસ્તુ. તેમજ ખરશૃંગ” (ગધેડાનું શીંગડું), વંધ્યાપુત્ર, વિગેરે જેવામાં બે પદો છે. પરંતુ તેના સમાસથી જે અર્થ થાય છે, તે વસ્તુ જગતમાં પ્રચલિત નથી. તે વસ્તુ અસ્તિત્વ ધરાવતી હોતી નથી. માટે તે અસત્ છે.
(૩) નિષેધઃ- જે વસ્તુ વિદ્યમાન હોય (સત), તેનો જ નિષેધ કરાય છે. જે વસ્તુ હોય જ નહિ. (અસ) તેનો નિષેધ કરાતો નથી. કોઈ પૂછે કે “રતિલાલ છે ' ઉત્તર મળે કે નથી'. તો તેનો અર્થ એ થયો કે, રતિલાલ નામનો કોઈ વ્યક્તિ જગતમાં છે. પરંતુ તે અહીં, કે વર્તમાનમાં હાજર નથી. આનાથી એ સમજાશે કે, જે વસ્તુ સાવ જ ન હોય તો, તેનો નિષેધ કરાતો હોતો નથી.
(૪) ત્રણકાળમાં ક્યારેય પણ હોય - જે સતુ હોય તે ત્રણે કાળમાં ક્યારેય પણ હોય જ. એટલે કે હતી, કે છે, અથવા થશે. જેમકે વિક્રમરાજા અત્યારે ભલે નથી, પણ થઈ ગયા છે, માટે તેવો પ્રયોગ પ્રચલિત છે. તેથી તે પણ સત્ છે. આચાર્ય દુuસહસૂરિ કલિકાલમાં છેલ્લા જૈનશાસનના આચાર્ય થવાના છે. આવું શાસ્ત્રવચન મળે છે. માટે