________________
(૪૮) સૂત્ર - ૨૪ :- પુદ્ગલના અન્ય ૧૦ પ્રકાર
રૂપાંતરો છે. તે શબ્દાદિ ૧૦ને જોઈએ.
[ ૧ ] શબ્દ ઃ
શબ્દ પૌદ્ગલિક છે તેથી તેનું અંકન (ટેપરેકોર્ડીંગ) થાય છે, અને અન્ય સ્થળે પણ મોકલી શકાય છે :- (જુઓ પૃ. ૯૦-૯૨ અને ૨૧૭થી ૨૨૨)
૨૭૫
પુદ્ગલનો ધ્વનિરૂપ જે પરિણામ (રૂપાંતર) તેને શબ્દ કહે છે. શબ્દની મૂર્તતા સિદ્ધ કરવા જૈન ગ્રંથોમાં ઘણું વિવેચન છે. શંખાદિનો પ્રચંડ શબ્દ કાનનેં બહેરા બનાવી દે છે. પત્થર આદિ મૂર્ત વસ્તુઓ ફેંકવામાં આવે તો તે કોઈ પદાર્થ સાથે ટકરાઈ નીચે પડે છે. તેમ શબ્દ પણ વસ્તુઓ સાથે અથડાઈ પાછો પડે છે, તેનો પ્રતિધ્વનિ કે પડઘો પડે છે. તે મૂર્ત સિવાય ન ઘટે.
શબ્દનું વહન વાયુ દ્વારા સારી રીતે થાય છે. જેવી રીતે ઘૂમાડો વાયુ દ્વારા દૂર સુધી ફેલાય છે. તેની જેમ શબ્દ પુદ્ગલ પણ વાયુ દ્વારા વહન થાય છે. શૂન્યાવકાશમાં શબ્દનું વહન થઈ શકતું નથી. નાના ડાબામાં ઇલેક્ટ્રિકનો બેલ મૂકી વગાડવામાં આવે, તો પ્રથમ તે સંભળાય છે. પરંતુ તેની સાથે પંપ જોડી ડબામાં શૂન્યાવકાશ કરવામાં આવે તો તેનો અવાજ સંભળાતો નથી. તે પ્રસિદ્ધ પ્રયોગ છે. શબ્દ પૌદ્ગલિક હોય તો જ આમ બને. આજે ટેપરેકોર્ડરમાં શબ્દનું અંકન થાય છે, અને વિદ્યુત મોજામાં રૂપાંતર કરી દૂર સુધી મોકલાય છે, તે પ્રત્યક્ષ છે. તે પણ આ જ બતાવે છે.
શબ્દના સચિત્ત, અચિત્ત અને મિશ્ર તેમ ત્રણ ભેદ છે. બીજી રીતે વૈગ્નસિક (સ્વાભાવિક), અને પ્રયોગજ (પ્રયત્નથી થયેલા) એમ બે ભેદ પણ છે. મેઘગર્જના વિગેરે વૈગ્નસિક (સ્વાભાવિક) છે અને પ્રયોગજ (સાધનના પ્રયત્નથી થતા શબ્દ)ના છ ભેદ શ્રી તત્ત્વાર્થ સૂત્રના ભાષ્યમાં કહ્યા છે. (૧) તત (૨) વિતત (૩) ઘન (૪) શુષિર (૫) સંઘર્ષ અને (૬)