________________
૨૧૪
જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન જયારે સજીવ પદાર્થોમાં નાટ્યાત્મક રીતે ઝડપથી ઘણો જ ફેરફાર થઈ શકે છે. તે કીલિયન ફોટોગ્રાફીની મદદથી જીવન અને ચૈતન્યનો અભ્યાસ કરવાનું પ્રબળ માધ્યમ પૂરું પાડે છે. - આપણા ભૌતિક શરીરના કાર્યો અને વિચારો વિગેરે આભામંડળ
ઉપર અસર કરે છે, તે કીર્લિયન ફોટોગ્રાફીમાં પણ દેખાય છે. - હાથની આંગળીઓની આસપાસના આભામંડળની છબીના
અભ્યાસથી, રોગના લક્ષણો શરીરમાં દેખાય તેની ઘણા પહેલાં
તેને જાણી શકાય છે. -- શારીરિક મૃત્યુ પછી પણ ૭૨ કલાક સુધી ઉર્જા બહાર નીકળતી
રહે છે. – ચૈતસિક ધ્યાન વડે ૧૦ મીનિટ સુધી પાણીના ટીપાં ઉપર વિશિષ્ટ
પ્રક્રિયા દ્વારા વીજભારાન્વિત કરતાં પહેલાં, અને પછી કિલિયન ફોટોગ્રાફ લીધા, જેમાં ટીપાંના આભામંડળમાં પૂર્વે કરતાં ૩૦ ગણી શક્તિ જોવા મળી. આવી રીતે આભામંડલની વૃદ્ધિને આપણી ચેતનાશક્તિને ગણતરીમાં લીધા વિના સમજાવી
શકાતી નથી. > પાણીનાં ટીપાંના આભામંડળનો પ્રયોગ, એ વાતનો પ્રબળ
પુરાવો છે કે મને બરાબર કેળવ્યું હોય તો, કોઈપણ ઘટના કે
પદાર્થને, ઈચ્છિત રીતે ફેરવી શકે છે. > આ પ્રયોગ ચૈતસિકશક્તિને ગ્રહણ કરવાની પાણીની ક્ષમતા
સૂચવે છે. - શરીરમાં ૭૦% પાણી હોય છે, તેથી ધ્યાનની શક્તિ, શરીરની
ભૌતિક સંરચનાને સારી અસર કરી શકે છે, તે સૂચવે છે. – માનસિક વલણમાં ફેરફાર કરવા માત્રથી, આભામંડળમાં
ફેરફાર થવાથી સાજા થવાની પ્રક્રિયા ઝડપી બને છે.