________________
૧૬૮
જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન
(૩૧) સૂત્ર - ૧૭ :- ધર્મ, અધર્મદ્રવ્ય અને
ગુરુત્વાકર્ષણ.
- ન્યૂટન ગુરુત્વાકર્ષણને ખેંચાણનું બળ કહે છે. આઇન્સ્ટાઇન તે
માન્યતાને બીજા પાયા પર લઈ જાય છે. -- આઈન્સ્ટાઈન મુજબ, ગુરુત્વાકર્ષણ અને વિદ્યુતચુંબકીય બળ, બંને
મૌલિક રીતે સમાન છે. - વિજ્ઞાનના વિદ્યુતચુંબકીયબળને પુગલના સ્નિગ્ધ-રૂક્ષ ગુણ સાથે
સરખાવી શકાય. -> સૂર્ય, ચન્દ્ર, ગ્રહો આદિનું પરિભ્રમણ અનાદિકાલીન સ્વભાવથી છે. – કુદરતના અતીન્દ્રિય રહસ્યો આગમશાસ્ત્રથી સમજી શકાય છે.
(गतिस्थित्युपग्रहौ धर्माधर्मयोरुपकारः ॥१७॥) ન્યૂટન ગુરુત્વાકર્ષણને ખેંચાણનું બળ કહે છે. જ્યારે આઈન્સ્ટાઈન તેને નકારે છે :
વિજ્ઞાનના ઈથર નામના દ્રવ્ય વિષેના વિચારો, ન્યૂટને બતાવેલું ગુરુત્વાકર્ષણ તેમજ આઇન્સ્ટાઇન દૂરથી ખેંચાણના બળને નકારે છે વિગેરે જોયું. આઇન્સ્ટાઇનનો સિદ્ધાંત વસ્તુઓ વચ્ચેની પારસ્પરિકક્રિયાનું કારણ આકાશના વિશિષ્ટગુણોને જણાવે છે. આઇન્સ્ટાઇનની અવકાશી ચાદર -
ન્યૂટન અને આઇન્સ્ટાઇનની ગુરુત્વાકર્ષણની થીઅરી અલગ છે. ન્યૂટન મુજબ સૂર્ય પૃથ્વીને, અને પૃથ્વી ચંદ્રને ગુરુત્વાકર્ષણથી બાંધી રાખે છે. જયારે આઇન્સ્ટાઇનના મત મુજબ સૂર્ય, અને પૃથ્વીના ગુરુત્વાકર્ષણને કારણે આકાશ મરડાય છે, એટલે તેમાં ગોબો પડે છે. તે અંતરિક્ષને રબ્બરિયા ચાદર સાથે અને સૂર્ય વિગેરે વજનદાર પદાર્થોને લોખંડના દડા