________________
(૨૬) સૂત્ર - ૧૩ - કાળચક્ર
૧૪૩ સાગરોપમ વર્ષ હોય છે. (પ + ૬ આરો = (૨૧ + ૨૧ =) ૪૨ હજાર વર્ષ.) ચોથા આરામાં જન્મેલા મનુષ્યો સંપૂર્ણ કર્મનો ક્ષય કરવા દ્વારા સીધા અહીંથી મોક્ષે જઈ શકે છે. પમા આરામાં ૨૪મા તીર્થકર ભગવાનનું શાસન હોય છે. પરંતુ સંપૂર્ણ કર્મોનો નાશ કરી, મોક્ષ પ્રાપ્તિ નથી.
પાંચમા આરામાં મનુષ્યની ઊંચાઈ, આયુષ્ય, બળ, પુદ્ગલોના શુભ વર્ણાદિ ગુણો હજુ ઘટે છે. અહીં કેવલજ્ઞાનીઓ, વિશિષ્ટ શ્રુતજ્ઞાનીઓ, અને વિશિષ્ટ લબ્ધિવંતનો અભાવ હોવા છતાં યુગપ્રધાન તેમજ શાસનને વફાદાર વિશિષ્ટ પુણ્યવંત અને પ્રભાવશાળી આચાર્યાદિ પાંચમા આરાનાછેડા સુધી ધર્મશાસનને જીવંત રાખે છે. તેનો આશ્રય કરી અનેક જીવો મોક્ષમાર્ગની આરાધના કરી પોતાની મુક્તિ નજીક બનાવી શકે છે. આ આરાના અંતે ધર્મશાસનનો અંત આવે છે. ગંગા, સિંધુ નદીના બિલમાં સુરક્ષિત રહેલા બીજરૂપ મનુષ્યો સિવાય સર્વ મનુષ્યો, મકાનો, પર્વતો, સરોવરો આદિનો નાશ થાય છે. પૃથ્વી ખેતીલાયક રહેતી નથી. બે હાથની ઊંચાઈવાળા બીજરૂપ મનુષ્યો, છઠ્ઠા આરામાં માંસાહારી, અતિ દુઃખમય અને પાપમય જીવન જીવે છે. છઠ્ઠા આરાને અંતે આયુષ્ય ૨૦ વર્ષ, મનુષ્યની ઊંચાઈ ૧ હાથ પ્રમાણ હોય છે. આ આરાના અંતે અવસર્પિણી કાળ પૂર્ણ થાય છે.
આ રીતે ૪+૫+૬ આરો = ૧ કોટાકોટી (૧૦૫) સાગરોપમ વર્ષ થાય. એટલે કે, ૬ એ આરા મળી, કુલ ૩+૪+૨+ ૧=૧૦ કોટાકોટી સાગરોપમ વર્ષનો અવસર્પિણી કાળ થશે.
તે પછી ઉત્સર્પિણીકાળ શરૂ થાય છે. ઉત્સર્પિણી કાળ (ચડતો કાળ) અવસર્પિણીથી વિપરીત સમજવો એટલે કે ૧લો, + રજો આરો = ૨૧૨૧ હજાર વર્ષ, ૩જો આરો = ૪૨,000 વર્ષ ઓછા એવા ૧ કોટાકોટિ સાગરોપમ વર્ષ. અહીં પણ ૨૪ તીર્થકરો આદિ ૬૩ શલાકાપુરુષો થાય છે, વિગેરે અવસર્પિણીના ૩જા, ૪થા આરા મુજબ સમજવું. ૪થો, પાંચમો અને છઠ્ઠો આરો અનુક્રમે અવસર્પિણી કાળના ૩, ૨, ૧ આરા મુજબ સમજવા. એટલે કે ૧+૨+૩+૪=૧૦ કોટાકોટી (૧૦૧૫) સાગરોપમ વર્ષનો