________________
૧૪૧
(૨૬) સૂત્ર - ૧૩:- કાળચક્ર કાળચક્રના ૧૨ આરાનું માપ. દરેકમાં જીવોના આયુષ્યાદિઃ
એક કાળચક્રના ૧૨ આરામાં, ૬ આરા ઉત્સર્પિણી-કાળખંડના, અને ૬ આરા અવસર્પિણી કાળખંડના, એમ બે વિભાગ છે. ઉત્સર્પિણી કાળ દરમિયાન ક્રમસર ભૌતિક પદાર્થોના શુભ વર્ણ, ગંધ, રસ, સ્પર્ધાદિ ગુણધાર્મોની, તેમજ જીવોના શરીર, બળ, આયુષ્ય વિગેરેની ક્રમસર વૃદ્ધિ, અને અવસર્પિણી કાળ દરમિયાન, તેની જ ક્રમસર હાનિ થતી હોય છે. ચક્ર ફરે ત્યારે તેના આરા ઉપર નીચે થતા હોય છે, તેથી આ વૃદ્ધિહાનિને ચક્રની ઉપમા દ્વારા સમજાવવામાં આવે છે. આ કારણે તેને કાળચક્ર કહે છે.
વર્તમાનમાં અવસર્પિણી કાળનો પાંચમો આરો ચાલે છે. અવસર્પિણી કાળના છ આરાની સ્થિતિ આ મુજબની હોય છે. ૧લો આરો = ૪ કોટાકોટિ (૧૦૧૫)સાગરોપમ વર્ષ, ૨જો આરો = ૩ કોટાકોટિ સાગરોપમ વર્ષ, ૩જો આરો = ૨ કોટાકોટિ સાગરોપમ વર્ષ (કોઠો જુઓ) (૧ સાગરોપમ = ૧૦ કોટાકોટિ (૧૦૫) પલ્યોપમ વર્ષ, ૧ પલ્યોપમ = અસંખ્ય વર્ષ (જુઓ પૃ -૩૪૮૯). પ્રથમના આ ત્રણ આરામાં મનુષ્યનું આયુષ્ય અનુક્રમે ૩, ૨ અને ૧ પલ્યોપમ (અસંખ્ય વર્ષ), અને શરીરની ઊંચાઈ અનુક્રમે ૩, ૨ અને ૧ ગાઉ (૧ ગાઉ = ૨ માઈલ) હોય છે. પ્રથમના ત્રણ આરાનો કુલ ૯ કોટાકોટી સાગરોપમ વર્ષનો યુગલિક કાળ (ભોગભૂમિ) કહેવાય છે. એટલે કે, તે કાળમાં ધર્મકર્મ અથવા ધર્મશાસન કે અધર્મ હોતા નથી. જીવો અલ્પકષાયી હોય છે. અલ્પ પીડાએ મૃત્યુ પામી દેવલોકમાં જ જાય છે. મનુષ્યોની સર્વ જરૂરિયાતો ૧૦ પ્રકારના કલ્પવૃક્ષો પૂરી પાડે છે. તેથી ધન ઉપાર્જન, ખેતી, રસોઈ આદિ જીવન જરૂરી કોઈપણ ચીજ માટેની પ્રવૃત્તિ અને રાજ્ય વ્યવસ્થાની જરૂરિયાત હોતી નથી. બધા જીવોનો મોભો સરખો હોય છે. રોગાદિ કષ્ટ, અકાળે મરણ, વિગેરે દુઃખો હોતાં નથી.
ત્રીજા આરાના અંતમાં આયુષ્ય, ૧ પલ્યોપમથી ઘટીને ૧ ક્રોડ