________________
સમ્યકત્વના ૬ સ્થાન
6 STEPS OF RIGHT FAITH -આત્માર્થી સાધકે હંમેશા વિચારવું જોઈએ, હું શરીરથી જુદો છું, ભિન્ન છું. (૧) "હું આત્મા છું' શરીર મારું ભલે હોય, પણ હું નથી, હું તેનો ભોક્તા છું. તેનાથી પર છું. (૨) “આત્મા નિત્ય છે' અનુત્પન અવિનાશી જ્ઞાનાધાર એવો મારો આત્મા શાશ્વત છે. Eternal છે. (૩) આત્મા પ્રતિ સમય કર્મો બાંધે છે.” રાગ, દ્વેષ વિગેરે, અત્યંતર નિમિત્તે અને બીજાને દુ:ખ આપવું, વિ. બાહા નિમિત્તોને લઈને જીવો કર્મ બાંધે છે. (૪) આત્મા પોતે જ કરેલા કર્મના ફળને ભોગવે છે.” બીજા દુ:ખ આપે છે એ નાસ્તિક atheist ની belief-માન્યતા છે. મારા કર્મો દુ:ખ આપે છે. એ આસ્તિક theist ની belief માન્યતા છે. અને અહંકાર (Pride, attachment) વ. દોષો દુ:ખ આપે છે એ ઘર્મીની માન્યતા છે. મારા જ કર્મો, દોષો એ મારા સુખ, દુ:ખ માટે કારણ છે. આવી માન્યજી જીવ જગતને દોષનું નિમિત્ત માનતો બંધ થઈ જાય છે. પરિસ્થિતિનો સ્વીકાર કરે છે.
(૨૨)