SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ - - قطاع الكالبنا بنا لیا - - - - - - - GE--- j][G]][][][][][][]][][D[][][][][][][][][][][][][G]][]][][][][G];[G][][][][][E []]][[][ - ૧૯, પરિણામ શક્તિ – દ્રવ્યના સ્વભાવભૂત ધ્રૌવ્ય–વ્યય–ઉત્પાદથી આલિંબિત સદશ અને વિસદશ જેનું રૂપ છે એવા એક અસ્તિત્વ માત્રમયી પરિણામ શકિત છે. ઉત્પાદ-વ્યય-ધ્રુવ તે દ્રવ્યના સ્વભાવભૂત છે. અને દ્રવ્યનું અસ્તિત્વ એવા ઉત્પાદ–વ્યય—ધ્રુવથી આલિંગિત છે; એટલે કે ઉત્પાદ–વ્યયની ભિન્ન ભિન્ન ત્રણ સત્તા નથી પરંતુ એકજ સત્તાએ ત્રણેથી એક સાથે સ્પર્શાવેલી છે તે સત્તાનું અસ્તિત્વ ધ્રુવતા અપેક્ષા છે એ તે સદશ છે ને ઉત્પાદ વ્યય અપેક્ષાએ વિસદશ છે. આવા અસ્તિત્વમાત્રમય પરિણામ શકિત છે. ૨૦. અમૂર્તત્વ શકિત - કર્મ બંધનના અભાવથી વ્યકત કરાયેલ સહજ સ્પર્શાવી રહીત એવા આત્મપ્રદેશે સ્વરૂપ અમૂર્તત્ત્વ શકિત છે. જ્ઞાનમાત્ર પરિણમનમાં આ શકિત પણ ભેગી પરિણમે છે. આત્મા અસંખ્ય પ્રદેશી અખંડ વસ્તુ છે. આત્માના દેશો અમૂર્ત છે. તેનામાં વર્ણ, ગંધ, રસ કે સ્પર્શ નથી. અસંખ્ય પ્રદેશે ચૈતન્ય સુખવીર્ય અને સત્તાથી ભરેલો તથા જડથી ખાલી એ અમૂર્ત આત્મા છે. આવો અમૂર્તિક આત્મા ઈન્દ્રી દ્વારા દેખાતો નથી પણ અતીન્દ્રિયજ્ઞાન દ્વારા જ અનુભવમાં આવે છે. ૨૧. અકર્તૃત્વ શકિત - સમસ્ત કર્મથી કરવામાં આવેલાં, અને જ્ઞાતવમાત્રથી જુદાં જે પરિણામે તે પરિણામેના કરણુના ઉપરમસ્વરૂપ એવી અર્વત્વ શકિત છે. જ્ઞાનને અંતર્મુખ કરીને આત્માને અનુભવ કરતાં તેમાં આ શકિતનું પરિણમન પણ ભેગું વર્તે છે. જ્ઞાનમાં જ્યાં આત્મસ્વભાવને પકડશે ત્યાં વિકારીભાનું કર્તાપણું છૂટી જાય છે. વિરામ પામે છે, તે અકઈ શકિતનું નિર્મળ પરિણમન છે. શુભ-અશુભ સમસ્ત પરિણામો આત્માના જ્ઞાયક ભાવથી જુદા છે, તેથી પર્યાયનું વલણ જ્યાં જ્ઞાયક સ્વભાવ તરફ વળ્યું ( ત્યાં તેમાં શાતાપણું જ રહ્યું ને શુભઅશુભ પરિણામનું કર્તાપણું ઉપરમ પામ્યુ-છૂટી ગયું. É {][][][][][[][][IIIIIIIIIIIIIIII[GI[[][][][][[[][][][][[][][][B[][[][T[G[][][][H:[G][ni ૮) ભગવાને કહ્યું છે કે પર્યાયષ્ટિનું ફળ સંસાર છે અને દ્રવ્યદૃષ્ટિનું ફળ વીતરાગતા–મોક્ષ છે. ૧૫. ت اتا تاتا تاب ایسا નિERIAGNA અનંત ગુણસ્વરૂપ આત્મા, તેના એકરૂપ સ્વરૂપને દૃષ્ટિમાં લઈ, તેને (આત્માને) એકને ધ્યેય બનાવી તેમાં એકાગ્રતાનો પ્રયત્ન કરવો એ જ પહેલામાં પહેલો શાન્તિસુખનો ઉપાય છે. ૧૭. અખંડ દ્રવ્ય અને અવસ્થા બંનેનું જ્ઞાન હોવા છતાં અખંડસ્વભાવ તરફ લક્ષ રાખવું, ઉપયોગનો દોર અખંડ દ્રવ્ય તરફ લઈ જવો, તે અંતરમાં સમભાવને પ્રગટ કરે છે. સ્વાશ્રય વડે બંધનો નાશ કરતો જે નિર્મળ પર્યાય પ્રગટ્યો તેને ભગવાન મોક્ષમાર્ગ અર્થાત્ ધર્મ કહે છે. ૧૧.
SR No.006107
Book TitleSwanubhuti Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy