SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૨ ૧૯૮. કર્મોના ઉદયનો વિપાક જિનવરોએ અનેક પ્રકારનો વર્ણવ્યો છે તે મારા સ્વભાવો નથી. હું તો એક જ્ઞાયભાવ છે. ૧૯. રાગ પુદગલકર્મ છે. તેનો વિપાકરૂપ ઉદય આ છે. આ મારો ભાવ નથી. હું તો નિશ્ચયથી એક જ્ઞાયભાવ છું. ૨૦૦. આ રીતે સમ્યગ્દષ્ટિ આત્માને પોતાને) જ્ઞાયકસ્વભાવ જાણે છે અને તત્વને અર્થાત યથાર્થ સ્વરૂપને જાણીને કર્મના વિપાકરૂપ ઉદયને છોડે છે. . . . . . . . . . ૨૦૧. (૨૦૧ થી ૨૦૨) ખરેખર જે જીવને પરમાણુમાત્ર – લેશમાત્ર – પણ ચગાદિક વર્તે છે તે જીવ ભલે સર્વ આગમ ભણેલો હોય તો પણ આત્માને નથી જાણતો. અને આત્માને નહિ જાણતાં તે અનાત્માને (પરને) પણ નથી "ાણતો: એ રીતે જે જીવ અને અજીવને નથી જાણતો તે સમ્યગ્દષ્ટિ કેમ હોઈ શકે? ૨૦૩. આત્મામાં અપદભૂત દ્રવ્ય-ભાવોને છોડીને નિશ્ચિત, સ્થિર, એક આ (પ્રત્યક્ષ અનુભવગોચ૨) ભાવને કે જે (આત્માના) સ્વભાવરૂપે અનુભવાય છે તેને - હે ભવ્યી) જેવો છે તેવો ગ્રહણ કર. તે તારું પદ છે). ૨૦૪. મતિ. શ્રુત, અવધિ. મન૫ર્યવ અને કેવળ - તે એક જ પદ (કારણ કે જ્ઞાનના સર્વ ભેદો જ્ઞાન જ છે; તે આ પરમાર્થ છે. કે જેને પામીને આત્મા નિર્વાણને પ્રાપ્ત થાય છે. ૨૦૫. જ્ઞાનગુણથી રહિત ઘણાય લોબે (પણા પ્રકારનાં કર્મ કરવા છતાંઆ જ્ઞાનસ્વરૂપ પદને પામતા નથી. માટે હે ભવ્ય! જો તું કર્મથી સર્વથા મુક્ત થવા ઈચ્છતા હો તો નિયત એવા આને (જ્ઞાનને) ગ્રહણ કર. ૨૦૬. (હે ભવ્ય પ્રાણી) તું આમાં (જ્ઞાનમાં) નિત્ય ત અર્થાત્ પ્રીતિવાળો થા. આમાં નિત્ય સંતુષ્ટ થા. અને આનાથી તૃપ્ત થા. (આમ કરવાથી તને) ઉત્તમ સુખ થશે (મોક્ષ મળશે). ૨૦૭. (૨૦૭ અને ૨૦૮) પોતાના આત્માને જ નિયમથી પોતાનો પરિગ્રહ જાણીને ક્યો જ્ઞાની એમ કહે કે આ પદ્રવ્ય મારું દ્રવ્ય છે? જો પદ્રવ્ય-પરિગ્રહ માથે હોય તો હું અજીવપણાને પામું. કારણ કે હું તો જ્ઞાતા જ છું તેથી (પદ્રવ્યરૂપ) પરિગ્રહ માથે નથી. ૨૦૯. છેદાઈ જાઓ અથવા ભેદાઈ જાઓ અથવા બ્રેઈ લઈ જાઓ અથવા નષ્ટ થઈ જાઓ અથવા તો ગમે તે રીતે જાઓ. તો પણ ખરેખર પરિગ્રહ મારો નથી. ૨૧૦.(૨૧૦ થી ૨૧૩) અનિચ્છને અપરિગ્રહી કહ્યો છે અને જ્ઞાની ધમન (પુણ્યને) ઈચ્છતો નથી. તેથી તે ધર્મનો પરિગ્રહી નથી. (ધર્મનો) ગાયક જ છે. અનિચ્છને અપરિગ્રહી હ્યો છે અને જ્ઞાની અધર્મને (પાપને) ઈચ્છતો નથી. તેથી તે અધર્મનો પરિગ્રહી નથી. (અધર્મનો) જ્ઞાયક જ છે. અનિચ્છકને અપરિગ્રહી કહ્યો છે અને જ્ઞાની અશનને (ભોજનને) ઈચ્છતો નથી. તેથી તે અશાનનો પરિગ્રહી નથી. (અશનનો) જ્ઞાયક જ છે. અનિચ્છને અપરિગ્રહી કહ્યો છે અને જ્ઞાની પાનને ઈચ્છતો નથી. તેથી તે પાનનો પરિગ્રહી નથી. (પાનનો) જ્ઞાયક છે. ૨૧૪. એ આદિ અનેક પ્રકારના સર્વ ભાવોને જ્ઞાની ઇચ્છતો નથી. સર્વત્ર (બધામાં) નિરાલંબ એવો તે નિશ્ચિત જ્ઞાયકભાવ જ ભ પ્રાણી!) તે Sિ તમ મુખ થશે માત્ર તૃપ્ત થા: (આમ કરવાથી સામા) નિત્ય રત અને ગળાની ગ્રહણ કર. ૨૧૫. જે ઉત્પન્ન (અર્થાતુ વર્તમાન બળના) ઉદયનો ભોગ તે. જ્ઞાનીને સદા વિયોગબુદ્ધિએ હોય છે અને આગામી | (અર્થાત ભવિષ્ય કાળના) ઉદયની જ્ઞાની વાંછા ક્રતો નથી. ૨૧૯. જે ભાવ વેદ વેદભાવ) છે અને જે ભાવ વેદાય વેદ્યભાવ) છે તે બન્ને ભાવો સમયે સમયે વિનાશ પામે છે - એવું જાણનાર જ્ઞાની તે બન્ને ભાવોને કદાપિ વાંછતો નથી. ૨૧૭. બંધ અને ઉપભોગનાં નિમિત એવા સંસારસંબંધી અને દેહસંબંધી અધ્યવસાનના ઉદયોમાં જ્ઞાનીને સૂગ ઊપસ્તો નથી. ૨૧૮.(૨૧૮ અને ૨૧૯) જ્ઞાની કે જે સર્વ દ્રવ્યો પ્રત્યે અંગ છોડનારો છે તે કર્મ મધ્યે રહેલો હોય તો પણ કર્મરૂપી ૨જથી લપાતો નથી – જેમ સોનું કદ મધ્યે રહેલું હોય તોપણ લેખાતું નથી તેમ. અને અજ્ઞાની કે જે સર્વ દ્રવ્યો પ્રત્યે જાગી છે તે કર્મ મધ્યે રહી. કર્મરજથી લેપાય છે – જેમ લોખંડ કાદવ મધ્યે રહ્યું લેપાય છે. ૨૨૦. (૨૨૦ થી ૨૨૩) જેમ શંખ અનેક પ્રકારનાં સચિત, અચિત અને મિશ્ર દ્રવ્યોને ભોગવે છે - ખાય છે તો પણ તેનું શ્વેતપણે કૃષ્ણ કરી ૨કાતું નથી. તેમ જ્ઞાની પણ અનેક પ્રકારનાં સચિત્ત, અચિત્ત અને પિત્ર દ્રવ્યોને ભોગવે તો પણ તેનું જ્ઞાન (ઈસરો) અજ્ઞાન ક્વી દાકતું નથી. જ્યારે તે જ શોખ પોતે તે શ્વેતસ્વભાવને છોડીને કૃષ્ણભાવને પામે ત્યારે શ્વેતપદ્યાને છોડે. તેવી રીતે ખરેખર જ્ઞાની પણ જ્યારે તે જ્ઞાનસ્વભાવને છોડીને અજ્ઞાનરૂપે પરિણમે ત્યારે અજ્ઞાન પણાને પામે. શ્રી સમયસાર. ૯
SR No.006107
Book TitleSwanubhuti Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy