SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩. વ્રત અને નિયમો ધારણ તા હોય છતાં, તેમ જ શીલ અને તપ કરતા હોવા છતાં, જેઓ પરમાર્થથી બાહ્ય છે . (જેને આત્માની શ્રદ્ધા નથી) તેઓ નિર્વાણને પામતા નથી. ૧૫૪. જેઓ પરમાર્થથી બાહ્ય છે તેઓ મોક્ષના હેતુને નહિ જાણતા થકા - જો કે પુણ્ય સંસારગમનનો હેતુ છે તો પણ – અજ્ઞાનથી (પૃશ્યને મોક્ષનો હેતુ જાણી) ઈચ્છે છે. ૧૫૫. જીવાદિ પદાર્થોનું શાન સમ્યક્ત છે. તે જીવાદિ પદાર્થોનો અધિગમ જ્ઞાન છે અને રાગાદિનો ત્યાગ ચારિત્ર છે – આ જ મોક્ષનો માર્ગ છે. ૧૫૬. નિશ્ચયનયના વિષયને છોડીને વિદ્વાનો વ્યવહાર વડે પ્રવર્તે છે; પરંતુ પરમાર્થન (આત્મસ્વરૂપને) આશ્રિત યતીશ્વરોને જ કર્મનો નાશા આગમમાં કહ્યો છે (કેવળ વ્યવહારમાં પ્રવર્તનારા પંડિતોને કર્મનો ક્ષય થતો નથી). ૧૫૭. (૧૫૭ થી ૧૫૯) જેમ વગનો શ્વેતભાવ મેલના મળવાથી તેથી આચ્છાદિત થાય છે – તિરોભૂત થાય છે, તેવી રીતે મિથ્યાત્વરૂપી મેલથી આચ્છાદિત થઈ સમ્યત્વ ખરેખર તિરોભૂત થાય છે એમ જાણવું. જેમ વસ્ત્રનો સ્વતભાવ મેલના મળવાથી તેથી આચ્છાદિત થાય છે - તિરોભૂત થાય છે, તેવી રીતે અજ્ઞાનરૂપી મેલથી આચ્છાદિત થઈ જ્ઞાન તિરોભત થાય છે એમ જાણવું. જેમ વસ્ત્રનો સ્વૈતભાવ મેલના મળવાથી તેથી આચ્છાદિત થાય છે – તિરોભૂત થાય છે. તેવી રીતે કપાયરૂપી મેલથી આચ્છાદિત થઈ ચારિત્ર પણ તિરોભૂત થાય છે એમ જાણવું. ૧. તે આત્મા (સ્વભાવથી) સવન જાણનારો તથા દેખનાચે છે તો પણ પોતાના કર્મમળથી આચ્છાદિત થઈ સંસારને વ્યાપ્ત થયેલો તે સર્વ પ્રકારે સર્વને જાણતો નથી. ૧૧. (૧૭૧ થી ૧૯૩) સમ્યક્તને રોકનારું મિથ્યાત્વ છે એમ જિનવરોએ કહ્યું છે. તેના ઉદયથી જીવ મિથ્યાર્દષ્ટિ થાય છે એમ જાણવું. જ્ઞાને શેકનારું અજ્ઞાન છે એમ જિનવરોએ કહ્યું છે તેના ઉદયથી જીવ અજ્ઞાની થાય છે એમ જાણવું. ચારિત્રને રોકનાર કષાય છે એમ જિનવરોએ કહ્યું છેતેના ઉદયથી જીવ અચારિત્રી થાય છે એ જાણવું ૪. આચિવ અધિકાર ૧૧૪. (૧૭૪ અને ૧૯૫) મિથ્યાત્વ. અવિરમણ. કષાય અને યોગ – એ આરાવો સંજ્ઞ(ચેતનના વિકાર) પણ છે અને અસંજ્ઞ (પુગલના વિકાર) પણ છે. વિવિધ ભેટવાળા સંજ્ઞ આશ્રવો – કે જેઓ જીવમાં ઉત્પન્ન થાય છે તેઓ -- જીવના જ અનન્ય પરિણામ છે. વળી અસંશી આચવો જ્ઞાનાવરણ આદિ કર્મનું કારણ (નિમિત્ત) થાય છે અને તેમને પણ (અસંજ્ઞ આરાવોને પણ કર્મબંધનનું નિમિત્ત થવામાં) રાગદ્વેષાદિ ભાવ કરનારા જીવ કારણ નિમિત) થાય છે. ૧૬. સમ્યગ્દષ્ટિને આસ્રવ જેનું નિમિત્ત છે એવો બંધ નથી. કારણ કેઆસવોને (ભાવાચવનો) નિરોધ છે: નવાં કર્મોને નહિ બાંધતો તે. સત્તામાં રહેલાં પૂર્વે બંધાયેલાં કર્મોને જાણે છે. ૧૬૭. છેવે કરેલો રાગાદિયુક્ત ભાવ બંધક (નવાં કર્મનો બંધ કરનાર) ક્લેવામાં આવ્યો છે. ચગાદિ વિમુક્ત ભાવ બંધક નથી, કેવળ જ્ઞાયક જ છે. ૧૧૮. જેમ પાકું ફળ ખરી પડતાં ફ્રીને ફળ ડીંટા સાથે જોડાતું નથી. તેમ જીવને કર્મભાવ ખરી જતાં ફરીને ઉત્પન્ન થતો નથી. ૧૯. તે જ્ઞાનીને પૂર્વે બંધાયેલા સમસ્ત પત્યયો માટીનાં ટેફાં સમાન છે અને તે માત્ર) કર્મણ શરીર સાથે બંધાયેલ છે. ૧૦. કારણ કે ચાર પ્રકારના દ્રવ્યાસવો જ્ઞાનદર્શનગુણો વડે સમયે સમયે અનેક પ્રકારનું પુદ્ગલકર્મ બાંધે છે. છતાં તેથી જ્ઞાની તો અબંધ છે. ૧૧. કારણ કે જ્ઞાનગુણ, જધન્ય જ્ઞાનગુણને લીધે ફરીને પણ અન્યપણે પરિણમે છે. તેથી તે (જ્ઞાનગુણ) કર્મનો બંધક કહેવામાં આવ્યો છે. ૧૨. કારણ કે દર્શન-જ્ઞાન-ચારિત્ર જધન્ય ભાવે પરિણમે છે તેથી જ્ઞાની અનેક પ્રકારના પુદગલકર્મથી બંધાય છે. 193. (૧૭૩ થી ૧૭૧) સમ્યગ્દષ્ટિને બળ પૂર્વે બંધાયેલા પ્રત્યયો (વ્ય આસવો) સતારૂપે મોજુદ છે તેઓ ઉપયોગના પ્રયોગ અનુસાર, કર્મભાવ વડે (રાગાદિ વડે) નવો બંધ કરે છે. તે પ્રત્યયો, નિરુપભોગ્ય રહીને પછી જે રીતે ઉપભોગ્ય થાય છે તે રીતે, જ્ઞાનાવરણાદિ ભાવે સાત-આઠ પ્રકારનાં થયેલાં એવાં કર્મોને બાંધે છે. સત્તા શ્રી સમયસાર..... ૭
SR No.006107
Book TitleSwanubhuti Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy