SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ દષ્ટિના નિધાનના આધારે ૧૧. અરે આત્માઓ! તમે સાધારણ છો એમ ન માનો! જેને પૂર્ણ દશા પ્રગટી છે એવા સર્વજ્ઞ પરમાત્મા એમ કહે છે કે અરે જીવો! તમે મારી જાતના ને નાતના પૂર્ણ પ્રભુ છો તેને તે ઊણો કે હીણો ન માનો. અંતરમાં પૂરણ પ્રભુ છો એમ માનો !(૨૯) ૧૨. આત્મા જ્યાં અંદરથી ઊછળ્યો પછી મન મોળું પડે તો પણ ઊછળવું બંધ ન પડે. ઇજિયો શિથિલ થાય તો પણ ઊછળવું બંધ ન પડે, શરીર મોળું પડે તો પણ ઊછળવું બંધ ન પડે. આત્મા જ્યાં મધુયબિંદુમાંથી ઊછળ્યો પછી તેને રોકવા જગતનો કોઈ પદાર્થ સમર્થ નથી.(૩૬) જેની સત્તાનો કદી વિરહ "ધી, જેની સત્તાની કદિ અપૂર્ણતા થઈ નથી. જેની સત્તા કોઈથી દબાઈ નથી એવી જે ત્રિકાળ નિરાવરણ વસ્તુ છે તેની ઉપર નજરબંધી થવી જોઈએ દ્રવ્ય ઉપર દષ્ટિની નજરબંધી થવી જોઈએ. મારે મારા સિવાય બીજા કોઈ આશ્રય નથી-એમ ધ્રુવ ઉપર નજરબંધી થવી જોઈએ.(૧૧૩). આત્મા જ્યાં પોતાના સ્વભાવના બળે ચડ્યો, ત્યાં અજ્ઞાનનો રાગ-દ્વેષનો, ઊધઈ જેમ તડકામાં પાણીની માફક સડીસડીને સળગી જાય તેમ સળગી જાય છે(ટળી જાય છે) બળી જાય છે.(૨૯૮) શ્રોતાઃ સાહેબ! અનુભવ થયો નથી તો અમારો શું દોષ છે? પૂજ્ય ગુરૂદેવ શ્રી : એ-આ પરનો ઉત્સાહ આવે છે એ જ દોષ છે, અને પોતાનો ઉત્સાહ નથી આવતો એ જ દોષ છે. પરમાં સાવધાની રાખે છે અને પોતામાં સાવધાન થતો નથી એ જ દોષ છે. પરનું માહાત્મ આવે છે અને પોતાના સ્વભાવનું માહાભ્ય આવતું નથી એ જ દોષ છે. લ્યો! સંક્ષેપમા આ દોષ છે.(૩૫) જેને ચૈતનું લક્ષ બંધાણું છે. એનું જોર ચૈતન્ય તરફ વળી રહ્યું છે. આ જ સ્વભાવ છે આ જ સ્વભાવ છે-એમ સ્વભાવમાં જ જોર હોવાથી અમે તેને ઓછી ઋદ્ધિવાળો કેમ દેખીએ? મિથ્યાષ્ટિ હોવા છતાં તે સમ્યક સન્મુખ થઈ ગયો છે, તે સમ્યક લેવાનો જ છે.(૩૮) ૧૭. એને રાગનું ને નિમિત્તનું માહાત્મ આવ્યું છે કે કાં તો એક સમયની પ્રગટ પર્યાયનું માહાલ્ય આવ્યું છે પણ વસ્તુ આખી અંદર પડી છે એનું માહાલ્ય આવતું નથી. શ્રીમદ્ રાજચંદ્રે કહ્યું છે ને કે જગતને સુષ્ટિનો ગુપ્ત ચમત્કાર ભાસતો નથી એટલે કે અંદરમાં આખી શક્તિ પડી છે તે ભાસતી નથી. (૪૧૬) ૧૬. ૨. ૫. સમ્યકત્વ-નિર્વિકલ્પ સમ્યગ્દર્શનઃ (ગુરુદેવશ્રીના વચનામતના આધારે) દર્શન શુદ્ધિથી જ આત્મસિદ્ધિ (૪) , ભવ્ય ભ્રમણનો અંત લાવવાનો ઉપાય શો? બદ્રવ્ય સંયમસે ગ્રીક પાયો, ફિર પીછો પટક્યો ત્યાં શું કરવું બાકી રહ્યું? માર્ગ કોઈ જુદો જ છે, આ ક્રિયાકાંડ મોક્ષમાર્ગ નથી, પારમાર્થિક આત્મા તથા સમ્યગ્દર્શન વગેરેનું સ્વરૂપ નક્કી કરી સ્વાનુભવ કરવો તે માર્ગ છે, અનુભવમાં વિશેષ લીનતા તે શ્રાવક માર્ગ છે અને તેનાથી પણ વિશેષ સ્વરૂપ રમણતા તે મનિમાર્ગ છે. સાથે વર્તતા બાહ્ય વ્રત-નિયમો તો અધૂરાશની-કચાશની પ્રગટતા છે. અરેરે! મોક્ષમાર્ગની મૂળ વાતમાં આટલો બધો ફેર પડી ગયો.(૫) અહા! આત્માનું સુંદર એકત્ત્વ-વિભક્ત સ્વરૂપ સંતો બતાવે છે. અપૂર્વ પ્રીતિ લાવીને તે શ્રવણ કરવા જેવું છે. જગતનો પરિચય છોડી પ્રેમથી આત્માનો
SR No.006107
Book TitleSwanubhuti Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy