SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ (૧૦) નિશ્ચયથી જોઈએ તો જે વીતરાગી પરિણામનું સત્ત્વ છે તે ચૈતન્ય સત્ત્વથી ભિન્ન છે. ચૈતન્ય સત્ત્વના પ્રદેશથી પર્યાયની સત્તાના પ્રદેશ ભિન્ન છે. (કલશામૃત ભાગ-૨ ૫. નં. ૬૧ તા. ૮-૮-૭૭ ) ( ( ૧૧ ) ચિદ્વિલાસમાં તો એમ લીધું છે કે– નિર્મળ પર્યાયના પ્રદેશ ભિન્ન છે. અસંખ્ય પ્રદેશ મળેલાં છે પણ તેનાં બે ભાગ છે. આહાહા ! જીવદ્રવ્યના ભિન્ન પ્રદેશ તે ચૈતન્ય સ્વભાવે જ છે. ક્ષેત્ર ભિન્ન અને ભાવ ભિન્ન તેમ બન્ને પ્રકારે લીધું છે. (કલશામૃત ભાંગ-૨ શ્લોક નં. ૫૦ તા. ૯-૮-૭૭ ) (૧૨) ૫૨ક્ષેત્ર ભિન્ન અને ભગવાન આત્માની પર્યાયનું ક્ષેત્ર ભિન્ન છે. પર્યાયનું ક્ષેત્ર ભિન્ન છે અને દ્રવ્યનું ક્ષેત્ર ભિન્ન છે. જુઓ ! સ્યાદ્વાદ વસ્તુનું સ્વરૂપ જ આવું છે. અસંખ્ય પ્રદેશી સ્વક્ષેત્ર તેમાં જે દ્રવ્યરૂપ ભાવ તે સ્વક્ષેત્ર અને પર્યાયરૂપનું ક્ષેત્ર તે ૫૨ક્ષેત્ર. ભગવાન આત્મા જ્ઞાનમૂર્તિ તો તે ક્ષેત્રથી ભિન્ન છે. આહાહા ! આણે તો બહુ લીધું! પર્યાયનું ક્ષેત્ર જ ભિન્ન છે સમજાણું કાંઈ ? ઈ... પર્યાયનું ક્ષેત્ર તે જ ૫ક્ષેત્ર છે. (નાટક સમયસાર પ્ર. નં. ૧૫૫ તા. ૭-૯-૭૧ ) (૧૩) અસંખ્ય પ્રદેશમાં બે ભાગ પડે છે– દ્રવ્ય એ પર્યાય નહીં અને પર્યાય તે દ્રવ્ય નહીં. ખરેખર તો નિર્મળ પર્યાયના પ્રદેશો ( અંશો ) પણ (ધ્રુવ આત્માથી ) જુદા છે. (પ્રવચન રત્નાકર ભાગ-૬ પેઈજ નં. ૩૭૧ ) (૧૪) દ્રવ્યગુણ ને પર્યાય વચ્ચે પ્રદેશભેદ હોતો નથી... એમ જે શાસ્ત્રમાં કહેવામાં આવે છે તેનો અર્થ એવો છે કે– બીજા દ્રવ્યોના પ્રદેશથી તેના પ્રદેશો જુદા પાડવા હોય ત્યારે તેઓના પ્રદેશો એકરૂપ જ છે એમ કહેવામાં આવે છે. ( (પૂ. ગુરુદેવશ્રીની રાત્રિચર્ચા તત્ત્વચર્ચા પેઈજ નં. ૧૭) (૧૫) શકિત ઔર શકિતવાન કોઈ ભિન્ન-ભિન્ન નહીં હૈ, ઉસકે પ્રદેશ ભિન્ન નહીં. શકિત ઔર દ્રવ્ય-જો શકિતવાન ઉસકે પ્રદેશ ભિન્ન નહીં. આહાહા! યે પર્યાય કે પ્રદેશ ભી દ્રવ્ય–ગુણસે ભિન્ન હૈ. ( શ્રી પ્રવચન નવનીત ભાગ-૪ / પેઈજ નં. ૫૫-૫૬) (૧૬)નિશ્ચયસે તો જો મોક્ષમાર્ગકી નિર્મલ પર્યાય હૈ વો દ્રવ્ય કે આલંબનસે (પ્રગટ હોતી હૈ ઉસકા ક્ષેત્ર ભિન્ન હૈ). સૂક્ષ્મ હૈ ભગવાન ! યહુ અનુભવ કી જો પર્યાય હૈ ઉસ પર્યાયકા ક્ષેત્ર ઔર દ્રવ્ય, ગુણ કા ક્ષેત્ર વર્ષ દોનોં ભિન્ન હૈ. અરે.. ઐસી બાત હૈ! સમજમેં આયા ? ભેદવિજ્ઞાનકી બાત બહુત સૂક્ષ્મ હૈ, ભાઈ! એક સમયમેં અનંત ગુણકી પર્યાય ઉછલતી હૈ નામ ઉત્પન્ન હોતી હૈ. વહુ પર્યાય ઉત્પન્ન હોતી હૈ ઉસકા ક્ષેત્ર ઔર દ્રવ્ય ગુણકા ક્ષેત્ર દોનોં ભિન્ન ગિનનેમેં આયા હૈ. આહાહા! પર્યાય કા ક્ષેત્ર પર્યાય હૈ, પર્યાય કી શક્તિ પર્યાય હૈ, પર્યાય પર્યાય કે કારણસે હૈદ્રવ્ય ગુણ સે ભી નહીં. ભેદજ્ઞાન સૂક્ષ્મ (ૐ) બાપુ! સર્વજ્ઞ પરમેશ્વર કે અલાવા યહ બાત કિસીને દેખી નહીં ઔર કલ્પિત બાતેં સબ બનાઈ, આહાહા ! યહ તો સર્વજ્ઞ ૫૨મેશ્વરને વીતરાગ દેવને જો આત્મા દેખા વહ કહતે હૈ. ( શ્રી પ્રવચન નવનીત ભાગ-૪ પેઈજ નં-૯૨)
SR No.006107
Book TitleSwanubhuti Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy