SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ રાગને પરશેયરૂપે ભિન્નપણે જાણે છે. તે રાગનું કર્તાપણું તેમજ સ્વામીપણું નથી. અનાદિના અજ્ઞાની મિથ્યાષ્ટિની દશા-(બહિરાત્મા) સ્વ તો જણાયું જ નથી. ઉપયોગ પલટીને જ્યારે સ્વમાં આવ્યો જ નથી. ૨. તે છતાં અંદર જ્ઞાનની પર્યાય સ્વત: પોતાની પોતાથી થઈ પોતાને જ જાણે છે. પરંતુ અજ્ઞાની એમ જાણતો-માનતો નથી-પરમાં અને રાગમાં એકતાબુદ્ધિ કરી તેને જાણે છે. એમ માને છે. એ રાગમાં એકતા બુદ્ધિની માન્યતા એ જ મિથ્યાત્વ છે. હવે જો એ વિધિ-નિષેધની કળા આવડી જાય અને પરને જાણતો નથી એમ ભેદજ્ઞાન કરી-જાણનારોજ જણાય છે. એમ નિર્ણય કરે. અથવા હું શાયક છું એમ નિર્ણય કરે તો જ્ઞાન-શ્રદ્ધા નિર્મળ થવાના સંસ્કાર બનતા જાય છે. અને એ જ્ઞાનની પર્યાય શુદ્ધ થતા તેમાં સ્વ જણાઈ જશે. ૩. સ્વભાવ નિરપેક્ષ સ્વભાવના ભાન વિના નિમિત્તનું યથાર્થ જ્ઞાન થાય નહિ. ૨. સ્વ-પર પ્રકાશક સ્વભાવ છે, તેમાં સ્વના જ્ઞાન વિના પરનું જ્ઞાન થાય નહિ. ઉપાદાનની સ્વતંત્રતાના જ્ઞાન વગર, નિમિત્તનું યથાર્થ જ્ઞાન થાય નહિ. ૪. નિશ્ચય વિના વ્યવહારનું જ્ઞાન થાય નહિ. જેમ ત્રિકાળી દ્રવ્ય સ્વતંત્ર નિરપેક્ષ છે, તેમ તેની સમય સમયની પર્યાય પણ સ્વતંત્ર સ્વતંત્ર પોતાના કારકોથી પોતાના કારણે જ થાય છે, પોતાના દ્રવ્યગુણની પણ તેને અપેક્ષા નથી. દરેક દ્રવ્યની પ્રત્યેક પર્યાયનો જન્મક્ષણે નક્કી છે. એટલે બધી પર્યાયો કમનિયમિત જ છે. એટલે કે જે પર્યાય જે સમયે થવાની એ નિશ્ચિત જ છે અને તેજ પ્રમાણે થાય છે. હવે તે સમયે પાંચે સમવાય જેમ કે ૧-સ્વભાવ, ૨-નિયતિ, ૩-કાળલબ્ધિ, ૪નિમિત્ત, ૫-પુરુષાર્થ સાથે જ હોય છે. ઉપાદાન-નિમિત્ત, નિશ્ચય-વ્યવહાર અને ક્રમબદ્ધ પર્યાય આ વસ્તુ વિજ્ઞાન સારના વિષયો ખરેખર ગંભીરતાથી સમજવા જેવા છે. ૯. વસ્તુની નિર્વિકલ્પ દષ્ટિ અને અનુભવ તે નિશ્ચય અને તે કાળે જે રાગની મંદતા છે તે વ્યવહાર-નિશ્ચય-વ્યવહાર બંને એક જ કાળમાં સાથે જ હોય છે. ૦. કાર્ય કાળ ઉપાદાનની પર્યાય પોતાની યોગ્યતાથી સ્વતંત્ર થાય છે. નિમિત્તી ઉપસ્થિતિનો કાળ હોવા છતાં નિમિત્તથી થઈ નથી. સાયકસ્વભાવો નિર્ણય કરવા જતાં પાંચ સમવાય કેવી રીતે આવે છે? ૧. સ્વભાવ-શાકભાવ પ્રતિ સન્મુખતા થઈ તે સ્વભાવ આવ્યો. ૨. ભવિતવ્ય અથવા નિયતિ-જે ભાવ થવા યોગ્ય હતો તે જ થયો - એમ ભવિતવ્ય આવ્યું. ૩. કાળલબ્ધિ-સ્વભાવ સન્મુખતાની નિયતિનો પર્યાય કાળ છે-તે પર્યાયનો જન્મક્ષણ છે તે કાળલબ્ધિ આવી.
SR No.006107
Book TitleSwanubhuti Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy