SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ દોષ છે ? ( અર્થાત્ કાંઈ દોષ નથી.) ૩૭૭ मुत्तममुत्तं दव्वं चेयणमियरं सगं च सव्वं च । पेच्छंतस्स द णाणं पञ्चक्खमणिदियं होइ ॥ १६७ ॥ મૂર્તિક-અમૂર્તિક ચેતનાચેતન સ્વપર સૌ દ્રવ્યને, જે દેખતો તેને અતીંદ્રિય જ્ઞાન છે, પ્રત્યક્ષ છે. ૧૬૭. અર્થ :મૂર્ત-અમૂર્ત ચેતન-અચેતન દ્રવ્યોને-સ્વને તેમ જ સમસ્તને દેખનારનું (જાણનારનું) જ્ઞાન અતીન્દ્રિય 1 છે, પ્રત્યક્ષ છે. पुव्वुत्तसयलदव्वं णाणागुणपज्जएण संजुत्तं । जो ण य पेच्छइ सम्मं परोक्खदिट्ठी हवे तस्स ।। १६८॥ વિધવિધ ગુણો ને પર્યાયો સંયુક્ત દ્રવ્ય સમસ્તને, દેખે ન જે સમ્યક્ પ્રકાર, પરોક્ષ દૃષ્ટિ તેહને. ૧૬૮. અર્થ :વિધવિધ ગુણો અને પર્યાયોથી સંયુક્ત પૂર્વોક્ત સમસ્ત દ્રવ્યોને જે સમ્યક્ પ્રકારે (બરાબર) દેખતો નથી, તેને પરોક્ષ દર્શન છે. लोयालोयं जाणइ अप्पाणं णेव केवली भगवं । जइ कोइ भइ एवं तस्स य किं दूसणं होई ।। १६९ ॥ પ્રભુ કેવળી જાણે ત્રિલોક-અલોકને, નહિ આત્મને, -જો કોઈ ભાખે એમ તો તેમાં કહો શો દોષ છે ? ૧૬૯. અર્થ : (વ્યવહારથી) કેવળી ભગવાન લોકાલોકને જાણે છે, આત્માને નહિ - એમ જો કોઈ કહે તો તેને શો દોષ છે ? (અર્થાત્ કાંઈ દોષ નથી.) णाणं जीवसरूवं तम्हा जाणेइ अप्पगं अप्पा | अप्पाणं ण वि जाणदि अप्पादो होदि विदिरत्तं ॥ १७० ॥ છે જ્ઞાન જીવસ્વરૂપ, તેથી જીવ જાણે જીવને; જીવને ન જાણે જ્ઞાન તો એ જીવથી જુદું ઠરે ! ૧૭૦. અર્થ ઃજ્ઞાન જીવનું ઃસ્વરૂપ છે, તેથી આત્મા આત્માને જાણે છે; જો જ્ઞાન આત્માને ન જાણે તો આત્માથી વ્યતિરિક્ત (જુદું ) ઠરે !
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy