SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૬ ધર્માદિની શ્રદ્ધા સુદગ, પૂર્વાગબોધ સુબોધ છે, તપમાંહી ચેષ્ટા ચરણ - એ વ્યવહારમુક્તિમાર્ગ છે. ૧૬૦. ધર્માસ્તિકાયાદિનું શ્રદ્ધાન તે સમ્યકત્વ, અંગપૂર્વસંબંધી જ્ઞાન તે જ્ઞાન તપમાં ચેષ્ટા (-પ્રવૃત્તિ) તે ચારિત્ર; -એ પ્રમાણે વ્યવહારમોક્ષમાર્ગ છે. જે જીવ દર્શનજ્ઞાનચરણ વડે સમાહિત હોઈને, છોડે-ગ્રહે નહિ અન્ય કંઈ પણ, નિશ્ચયે શિવમાર્ગ છે. ૧૬૧. જે આત્મા સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર વડે ખરેખર એકાગ્ર-અભેદ થયો થકો અન્ય કોઈ પણ કરતો નથી કે છોડતો નથી, તે નિશ્ચયનયથી મોક્ષમાર્ગ કહેવામાં આવે છે. હવે અંતિમ ભલામણ કરી પંચાસ્તિકાયસંગ્રહની સમાપ્તિ કરે છે. તેથી ન કરવો રાગ જરીયે ક્યાંય પણ મોક્ષેચ્છએ; વીતરાગ થઈને એ રીતે ભવ્ય ભવસાગર તરે. ૧૭૨. તેથી મોક્ષાભિલાષી જીવ સર્વત્ર કિંચિત પણ રાગ ન કરે; એમ કરવાથી જીવ વીતરાગ થઈ ભવસાગરને તરે છે. હવે આચાર્ય કહે છે કે પ્રવચનની ભક્તિથી પ્રેરિત એવા મેં માર્ગની પ્રભાવના અર્થે પ્રવચનના સારભૂત પંચાસ્તિકાયસંગ્રહ સૂત્ર કહ્યું.
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy