SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૦ અર્થ : જેને મોહ અને રાગ-દ્વેષ નથી તથા યોગોનું સેવન નથી (અર્થાત્ મન-વચન-કાયા પ્રત્યે ઉપેક્ષા છે), તેને શુભાશુભને બાળનારો ધ્યાનમય અગ્નિ પ્રગટે છે. जं सुहमसुहमुदिण्णं भावं रत्तो करेदि जदि अप्पा । सो ते हवदि बद्धो पोग्गलकम्मेण विविहेण ॥ १४७ ॥ જો આતમા ઉપરકત કરતો અશુભ વા શુભ ભાવને, તો તે વડે એ વિવિધ પુદ્ગલકર્મથી બંધાય છે. ૧૪૭. અર્થ : જો આત્મા રક્ત (વિકારી) વર્તતો થકો ઉદિત શુભ કે અશુભ ભાવને કરે છે, તો તે આત્મા તે ભાવ વડે (-તે ભાવના નિમિત્તે) વિવિધ પુદ્ગલકર્મથી બદ્ધ થાય છે. जोगणिमित्तं गहणं जोगो मणवयणकायसंभूदो । भावणिमित्तो बंधो भावो रदिरागदोसमोहजुदो ॥ १४८ ॥ છે યોગહેતુક ગ્રહણ, મનવચકાય-આશ્રિત યોગ છે; છે ભાવહેતુક બંધ, ને મોહાદિસંયુત ભાવ છે. ૧૪૮. અર્થ : ગ્રહણનું ( -કર્મગ્રહણનું) નિમિત્ત યોગ છે; યોગ મનવચનકાયજનિત (આત્મપ્રદેશપરિસ્કંદ) છે. બંધનું નિમિત્ત ભાવ છે; ભાવ રતિરાગદ્વેષમોહથી યુક્ત (આત્મપરિણામ) છે. हेदू चदुव्वियप्पो अट्ठवियप्पस्स कारणं भणिदं । सिं पिय रागादी सिमभावे ण बज्झति ॥ १४९ ॥ હેતુ ચતુર્વિધ અષ્ટવિધ કર્મો તણાં કારણ કહ્યા, તેનાંય છે રાગાદિ, જ્યાં રાગાદિ નહિ ત્યાં બંધ ના. ૧૪૯. અર્થ : (દ્રવ્યમિથ્યાત્વાદિ) ચાર પ્રકારના હેતુઓ આઠ પ્રકારના કર્મોના કારણ કહેવામાં આવ્યા છે; તેમને પણ (જીવના) રાગાદિભાવો કારણ છે; રાગાદિભાવોના અભાવમાં જીવો બંધાતા નથી. हेदुमभावे णियमा जायदि णाणिस्स आसवणिरोधो । आसवभावेण विणा जायदि कम्मस्स दु णिरोधो ।। १५० ।। कम्मस्साभावेण य सव्वण्हू सव्वलोगदरिसी य । पावदि इंदियरहिदं अव्वाबाहं सुहमणंतं ॥ १५१ ॥
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy