SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૨ પ્રકૃતિ-સ્થિતિ-પરદેશ-અનુભવબંધથી પરિમુક્તને ગતિ હોય ઊંચે; શેષને વિદિશા તજી ગતિ હોય છે. ૭૩. અર્થ : પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, અનુભાગબંધ અને પ્રદેશબંધથી સર્વતઃ મુક્ત જીવ ઊર્ધ્વગમન કરે છે; બાકીના જીવો (ભવાંતરમાં જતાં) વિદિશાઓ છોડીને ગમન કરે છે. खंधा य खंधदेसा खंधपदेसा य होंति परमाणू । इदि ते चदुव्वियप्पा पुग्गलकाया मुणेयव्वा ॥ ७४ ॥ જડરૂપ પુદ્ગલકાય કેરા ચાર ભેદો જાણવા; તે સ્કંધ, તેનો દેશ, સ્કંધપ્રદેશ, પરમાણુ કહ્યા. ૭૪. અર્થ : પુદ્ગલકાયના ચાર ભેદ જાણવા, સ્કંધો, સ્કંધદેશો, સ્કંધપ્રદેશો અને પરમાણુઓ., खंधं सयलसमत्थं तस्स दु अद्धं भांति देसो त्ति । अद्धद्धं च पदेसो परमाणू चेव अविभागी ।। ७५ ।। પૂરણ-સકળ તે ‘સ્કંધ’ છે ને અર્ધ તેનું ‘દેશ’ છે, અર્ધાર્ધ તેનું ‘પ્રદેશ’ ને અવિભાગ તે ‘પરમાણુ’ છે. ૭૫. અર્થ : સકળ-સમસ્ત (પુદ્ગલપિડાત્મક આખી વસ્તુ) તે સ્કંધ છે, તેના અર્ધને દેશ કહે છે, અર્ધનું અર્ધ તે પ્રદેશ છે અને અ વેભાગી તે ખરેખર પરમાણુ છે. बादरसुहुमगदाणं खंधाणं पुग्गलो त्ति ववहारो । ते होंति छप्पयारा तेलोकं जेहिं णिप्पण्णं ॥ ७६ ॥ સૌ સ્કંધ બાદર-સૂક્ષ્મમાં ‘પુદ્ગલ’ તણો વ્યવહાર છે; છ વિકલ્પ છે કંધો તણા, જેથી ત્રિજગ નિષ્પન્ન છે. ૭૬. અર્થ : બાદર અને સૂક્ષ્મપણે પરિણત સ્કંધોને ‘પુદ્ગલ’ એવો વ્યવહાર છે. તેઓ છ પ્રકારના છે, જેમનાથી ત્રણ લોક નષ્પન્ન છે. सव्वेसिं खंधाणं जो अंतो तं वियाण परमाणू । सो सस्सदो असद्दो एक्को अविभागी मुत्तिभवो ॥ ७७ ॥ જે અંશ અંતિમ સ્કંધનો, પરમાણુ જાણો તેહને; તે એક ને અવિભાગ, શાશ્વત, મૂર્તિપ્રભવ, અશબ્દ છે. ૭૭.
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy