SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૭ जीवा अणाइणिहणा संता णंता य जीवभावादो । सब्भावदो अणंता पंचग्गगुणप्पधाणा य ॥५३॥ જીવો અનાદિ-અનંત, સાંત, અનંત છે જીવભાવથી, સદ્ભાવથી નહિ અંત હોય; પ્રધાનતા ગુણ પાંચથી. ૫૩ અર્થ ઃ જીવો (પારિણામિક ભાવથી) અનાદિ-અનંત છે, (ત્રણ ભાવોથી) સાંત (અર્થાત્ સાદિ-સાંત) છે અને જીવભાવથી અનંત છે (અર્થાત્ જીવના સદ્ભાવરૂપ ક્ષાયિકભાવથી સાદિ-અનંત છે) કારણ કે સદ્ભાવથી જીવો અનંત જ હોય છે. તેઓ પાંચ મુખ્ય ગુણોથી પ્રધાનતાવાળા છે. एवं सदो विणासो असदो जीवस्स होइ उप्पादो । इदि जिणवरेहिं भणिदं अण्णोण्णविरुद्धमविरुद्धं ।। ५४॥ એ રીત સત્-વ્યય ને અસત્-ઉત્પાદ જીવને હોય છે -ભાખ્યું જિને, જે પૂર્વ-અપર વિરુદ્ધ પણ અવિરુદ્ધ છે. ૧.૪. અર્થ : એ રીતે જીવને સત્નો વિનાશ અને અસત્નો ઉત્પાદ હોય છે - એવું જિનવરો કહ્યું છે, કે જે અન્યોન્ય વિરુદ્ધ (૧૯મી ગાથાના કથન સાથે વિરોધવાળું) છતાં અવિરુદ્ધ છે. रइयतिरियमणुआ देवा इदि णामसंजुदा पयडी । कुव्वंति सदो णासं असदो भावस्स उप्पादं ।। ५५ ॥ તિર્યંચ-નારક-દેવ-માનવ નામની છે પ્રકૃતિ જે, તે વ્યય કરે સત્ ભાવનો, ઉત્પાદ અસત્ તણો કરે. ૫૫. અર્થ :નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવ એવાં નામવાળી (નામકર્મની) પ્રકૃતિઓ સત્ ભાવનો નાશ કરે અને અસત્ ભાવનો ઉત્પાદ કરે છે. उदयेण उवसमेण य खयेण दुहिं मिस्सिदेहिं परिणामे । जुत्ता ते जीवगुणा बहुसु य अत्थेसु विच्छिण्णा ॥ ५६ ॥ પરિણામ, ઉદય, ક્ષયોપશમ, ઉપશમ, ક્ષયે સંયુક્ત જે, તે પાંચ જીવગુણ જાણવા; બહુ ભેદમાં વિસ્તીર્ણ છે. ૫. અર્થ : ઉદયથી યુક્ત, ઉપશમથી યુક્ત, ક્ષયથી યુક્ત, ક્ષયોપશમથી યુક્ત અને પરિણામથી યુ - એવા (પાંચ) જીવગુણો (-જીવના ભાવો) છે; અને તેમને ઘણાં પ્રકારોમાં વિસ્તારવામાં આવે છે.
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy