SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ અર્થ ઃ આ પ્રશસ્તભૂત ચર્યા શ્રમણોને (ગૌણ) હોય છે અને ગૃહસ્થોને તો મુખ્ય હોય છે એમ (શાસ્ત્રોમાં) કહ્યું છે; તેનાથી જ (પરંપરાએ) ગૃહસ્થ પરમ સૌખ્યને પામે છે. रागो पसत्थभूदो वत्थुविसेसेण फलदि विवरीदं । णाणाभूमिगदाणिह बीजाणिव सस्सकालम्हि ।। २५५ ॥ ફળ હોય છે વિપરીત વસ્તુવિશેષથી શુભ રાગને, નિષ્પત્તિ વિપરીત હોય ભૂમિવિશેષથી જ્યમ બીજને. ૨૫ અર્થ : જેમ આ જગતમાં અનેક પ્રકારની ભૂમિમાં પડેલાં બીજ ધાન્યકાળે વિપરીતપણે ફળે છે, તેમ પ્રશસ્ત રાગ વસ્તુભેદથી (-પાત્રના ભેદથી) વિપરીતપણે ફળે છે. छदुमत्थविहिदवत्थुसु वदणियमज्झयणझाणदाणरदो । ण लहदि अपुणभावं भावं सादप्पगं लहदि ॥ २५६ ॥ છદ્મસ્થ-અભિહિત ધ્યાનદાને વ્રતનિયમપઠનાદિકે રત જીવ મોક્ષ લહે નહીં, બસ ભાવ શાતાત્મક લહે. ૨૫૬. અર્થ : જે જીવ છદ્મસ્થવિહિત વસ્તુઓને વિષે (છદ્મસ્થ - અજ્ઞાનીએ કહેલા દેવ-ગુરુ-ધર્માદિને વિષે) વ્રતનિયમ-અધ્યયન-ધ્યાન-દાનમાં રત હોય તે જીવ મોક્ષને પામતો નથી, શાતાત્મક ભાવને પામે છે. अविदिदपरमत्थेसु य विसयकसायाधिगेसु पुरिसेसु । जुट्ठे कदं व दत्तं फलदि कुदेवेसु मणुवेसु ॥ २५७ ॥ પરમાર્થથી અનભિજ્ઞ, વિષયકષાયઅધિક જનો પરે, ઉપકાર-સેવા-દાન સર્વ કુદેવમનુજપણે ફળે. ૨૫૭. અર્થ ઃ જેમણે પરમાર્થને જાણ્યો નથી અને જેઓ વિષયકષાયે અધિક છે એવા પુરુષો પ્રત્યેની સેવા, ઉપકાર કે દાન કુદેવપણે અને કુમનુષ્યપણે ફળે છે. जदि ते विसयकसाया पाव त्ति परूविदा व सत्थेसु । हि ते तप्पबिद्धा पुरिसा णित्थारगा होंति ।। २५८ ।। ‘વિષયોકષાયો પાપ છે’ જો એમ નિરૂપણ શાસ્ત્રમાં, તો કેમ તત્પ્રતિબદ્ધ પુરુષો હોય રે નિસ્તારકા ? ૨૫૮.
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy